Categories: નુસખા

આંબલી આમ તો નામ વાંચીને જ મોઢામાં પાણી આવી ગયું, ફાયદા વાંચશો તો આજથી ખાવાનું પણ શરુ કરી દેશો…

ખાવાનો સ્વાદ વાધારતી આંબલીનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. તેમજ કેટલાં પ્રકારની ચટણીનો સ્વાદ આંબલી વગર અધૂરો રહે છે. આંબળીનું સેવન માત્ર સ્વાદ માટે જ નહીં પણ સૌંદર્ય અને સ્વાસ્થ્ય સંબંધી કેટલાંક ગુણો પણ છે. આંબળીમાં કેટલાંક પોષક તત્ત્તવો જેવા કે વિટામિન સી, ઈ અને બી સિવાય કેલ્શિયમ, આયર્ન, ફોસફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે કેટલીક બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. આંબલી ફક્ત સ્વાદ માટે નહિ પણ સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક હોય છે.

આંબલીનો દરરોજ સેવન કરવાથી ઘણી બધી બીમારી મૂળથી ખત્મ કરે છે. ત્વચા અને બ્યુટી સમસ્યાને દૂર કરવાની સાથે સાથે તે સ્વાસ્થ્યની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે. આજે અમે તમને જણાવીશું કે આંબલીના પ્રયોગથી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરી શકાય છે.

પાચનશક્તિમાં સુધારો –

પેટમાં દુખાવો, કબજિયાત હોય તો આંબળી પેટ સંબંધી બધી સમસ્યાને દૂર કરવા માટે રામબાણ ઈલાજ છે. આંબળીમાં ટોર્ટરિક એસિડ, મૈલિક એસિડ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે પાચનશક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.

ઉપયોગ કરવાની રીત –

11/2 કપ આંબળીના પલ્પમાં મધ, લીંબુનો રસ અને ગરમ પાણીમાં નાંખીને આખી રાત રહેવા દેવું. હવે આ પેસ્ટને નિચોડીને રસ નીકાળી લેવો. પછી તેને ઠંડુ કરવું અને રાતે ઉંઘતા પહેલાં આ રસને 1 ગ્લાસ પીવું.

ડાયાબિટિસમાં રાહત આપે છે –

આંબલીને પાણીમાં પલાળીને તેનું 1 ગ્લાસ પાણીને દરરોજ સેવન કરવાથી શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સ સંગ્રહ થવા દેતું નથી. જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ લાભકારક છે. જેનાથી નવા રેડ બ્લડ સેલ્સ બને છે અને તે શુગરને પણ કંટ્રોલમાં રાખે છે. તેમજ તેમાં રહેલાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓને રાહત આપવાનું કામ કરે છે.

વજન ઘટાડવા માટે –

જો તમે તમારા વજનથી પરેશાન હોવ તો આંબલી તમારી મદદ કરી શકે છે. આંબલીમાં હાઈડ્રોઓક્સાઈટ્રિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં રહેલી વધારાની ચરબીને ઓછી કરવા માટે ઈન્ઝાઈમને વધારે છે. તેમજ દરરોજ આંબલીનું સેવન કરવાથી ઝડપથી વજન ઘટે છે.
અલસરની સમસ્યાથી રાહત –

અલ્સરનાં ઘાવ બહુ દર્દનાક હોય છે જે પેટ અને આંતરડામાં જોવા મળે છે. એવું કહેવામાં આવે થે આંબલીવા બીજ અલ્સરની સમસ્યાથી રાહત આપવામાં મદદ કરે છે, કેમ કે, તેના બીજમાં અલ્સરને નીકાળવાનાં ગુણો રહેલા છે.

કેન્સરની સામે લડવામાં મદદ –

આંબલીનો જ્યૂસ પીવાથી કેન્સરની સામે લડવાની તાકાત મળે છે. આંબલીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂરમાત્રામાં હોય છે. તેમજ આંબલીના બીજ કિડનીમાં ફેલાય રહેલાં કેન્સરને દૂર કરવામાં મદદ કરે છે. તેમજ એન્ટીઓક્સીડેન્ટ અને ટારટરિક એસિડથી ભરપૂર આંબલી શરીરમાં કેન્સર ના સેલ્સને વધતા રાકે છે. આબલીથી આપણે કેન્સર જેવી ભંયકર રોગથી દૂર રાખે છે. ભૂખ્યા પેટે આંબલીને પાણીમાં પલાળીને જે પાણી હોય તે પીવું જોઈએ.

ઘાવ મટાડવા માટે મદદ કરે છે –

આંબલીનો જ્યૂસ ઘાવને મટાડવા માટે બહુ ફાયદાકારક છે. દુનિયાના કેટલાંક દેશમાં ઘાવના ઉપચાર માટે આંબલીના પાન અને તેની છાલનો ઉપયોગ કરે છે. તેમા રહેલાં એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટીરિયલ ગુણ હોય છે. તેમજ માત્ર 10 દિવસમાં ઘાવને મટાડવા માટે આંબલીના બીજ બહુ ફાયદાકારક છે.

હૃદયને સ્વસ્થ રાખવા માટે –

આંબલીને હાર્ટ ફ્રેન્ડલી પણ માનવામાં આવે છે. આંબલીમાં રહેલાં ફ્લેવોનોઈડસ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવાની સાથે કોલેસ્ટ્રોલનું સ્તર વધારવામાં મદદ કરે છે. તે લોહીમાં ટ્રાઈગ્લિસરાઈડ્સને બનતા અટકાવે છે. તેમાં રહેલું પોટેશિયમ રક્તપિતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

ગળુ છોલાવવાની સમસ્યા –

આંબલીના પાંદડા દ્વારા છોલાયેલું ગળુ કે ઉધરસની સમસ્યાને દૂર કરવા માટે રામબાણ ઉપાય છે. ઉધરસ તેમજ ગળુ છોલાય ગયું હોય ત્યારે આ સમસ્યામાંથી મિનિટોમાં રાહત મેળવવા આંબલીના પાંદડાને પીસીને પીવાથી રાહત મળે છે. આને દિવસમાં બે વાર સેવન કરવાનું છે.

Recent Posts

કુંભ રાશિમાં બુધનો ઉદયઃ કુંભ રાશિમાં બુધનો ઉદય થશે, આ રાશિઓ પર થઈ શકે છે ધનનો વરસાદ

કુંભ 2025 માં બુધ ઉદય: ગ્રહ સમય સમય પર તેની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે… Read More

5 months ago

અમિતાભ બચ્ચનની કારઃ અમિતાભ બચ્ચનના કલેક્શનમાં સામેલ છે આ લક્ઝરી કાર, જાણો વિગત

બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચન આ તેમના કાર કલેક્શનમાં કઈ લક્ઝરી કારનો સમાવેશ થાય… Read More

5 months ago

નવેમ્બર મહિનાનું રાશિફળ : તમામ 12 રાશિઓ માટે નવેમ્બર મહિનો કેવો રહેશે, વાંચો માસિક રાશિફળ

મેષઃ મેષ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનાની શરૂઆત ચિંતાઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા સાથે થશે.… Read More

5 months ago

ધનતેરસ 2024: ધનતેરસ પર એક દુર્લભ સંયોગ બની રહ્યો છે, આ પદ્ધતિથી કરો ભગવાન ધનવંતરીની પૂજા

ધનતેરસ 2024: હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે… Read More

5 months ago

દિવાળી પર જન્મેલા બાળકોના નામઃ જો દિવાળી પર ઘરે નાના મહેમાન આવ્યા હોય તો આ સુંદર અને આધુનિક નામ રાખો.

દિવાળી પર જન્મેલા છોકરા કે છોકરીનું નામ: તહેવારોની મોસમ છે. દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર /… Read More

6 months ago

ધનતેરસ 2024: આવતીકાલે ધનતેરસ, જાણો ખરીદી અને પૂજા પદ્ધતિનો શુભ સમય

ધનતેરસ 2024 તારીખ ખરીદીનો સમય પૂજાવિધિ શુભ મુહૂર્ત ધનતેરસ પર સોનાની ખરીદીનો સમય: હિન્દુ ધર્મમાં,… Read More

6 months ago