Categories: નુસખા

આંબલી આમ તો નામ વાંચીને જ મોઢામાં પાણી આવી ગયું, ફાયદા વાંચશો તો આજથી ખાવાનું પણ શરુ કરી દેશો…

ખાવાનો સ્વાદ વાધારતી આંબલીનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. તેમજ કેટલાં પ્રકારની ચટણીનો સ્વાદ આંબલી વગર અધૂરો રહે છે. આંબળીનું સેવન માત્ર સ્વાદ માટે જ નહીં પણ સૌંદર્ય અને સ્વાસ્થ્ય સંબંધી કેટલાંક ગુણો પણ છે. આંબળીમાં કેટલાંક પોષક તત્ત્તવો જેવા કે વિટામિન સી, ઈ અને બી સિવાય કેલ્શિયમ, આયર્ન, ફોસફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે કેટલીક બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. આંબલી ફક્ત સ્વાદ માટે નહિ પણ સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક હોય છે.

આંબલીનો દરરોજ સેવન કરવાથી ઘણી બધી બીમારી મૂળથી ખત્મ કરે છે. ત્વચા અને બ્યુટી સમસ્યાને દૂર કરવાની સાથે સાથે તે સ્વાસ્થ્યની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે. આજે અમે તમને જણાવીશું કે આંબલીના પ્રયોગથી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરી શકાય છે.

પાચનશક્તિમાં સુધારો –

પેટમાં દુખાવો, કબજિયાત હોય તો આંબળી પેટ સંબંધી બધી સમસ્યાને દૂર કરવા માટે રામબાણ ઈલાજ છે. આંબળીમાં ટોર્ટરિક એસિડ, મૈલિક એસિડ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે પાચનશક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.

ઉપયોગ કરવાની રીત –

11/2 કપ આંબળીના પલ્પમાં મધ, લીંબુનો રસ અને ગરમ પાણીમાં નાંખીને આખી રાત રહેવા દેવું. હવે આ પેસ્ટને નિચોડીને રસ નીકાળી લેવો. પછી તેને ઠંડુ કરવું અને રાતે ઉંઘતા પહેલાં આ રસને 1 ગ્લાસ પીવું.

ડાયાબિટિસમાં રાહત આપે છે –

આંબલીને પાણીમાં પલાળીને તેનું 1 ગ્લાસ પાણીને દરરોજ સેવન કરવાથી શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સ સંગ્રહ થવા દેતું નથી. જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ લાભકારક છે. જેનાથી નવા રેડ બ્લડ સેલ્સ બને છે અને તે શુગરને પણ કંટ્રોલમાં રાખે છે. તેમજ તેમાં રહેલાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓને રાહત આપવાનું કામ કરે છે.

વજન ઘટાડવા માટે –

જો તમે તમારા વજનથી પરેશાન હોવ તો આંબલી તમારી મદદ કરી શકે છે. આંબલીમાં હાઈડ્રોઓક્સાઈટ્રિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં રહેલી વધારાની ચરબીને ઓછી કરવા માટે ઈન્ઝાઈમને વધારે છે. તેમજ દરરોજ આંબલીનું સેવન કરવાથી ઝડપથી વજન ઘટે છે.
અલસરની સમસ્યાથી રાહત –

અલ્સરનાં ઘાવ બહુ દર્દનાક હોય છે જે પેટ અને આંતરડામાં જોવા મળે છે. એવું કહેવામાં આવે થે આંબલીવા બીજ અલ્સરની સમસ્યાથી રાહત આપવામાં મદદ કરે છે, કેમ કે, તેના બીજમાં અલ્સરને નીકાળવાનાં ગુણો રહેલા છે.

કેન્સરની સામે લડવામાં મદદ –

આંબલીનો જ્યૂસ પીવાથી કેન્સરની સામે લડવાની તાકાત મળે છે. આંબલીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂરમાત્રામાં હોય છે. તેમજ આંબલીના બીજ કિડનીમાં ફેલાય રહેલાં કેન્સરને દૂર કરવામાં મદદ કરે છે. તેમજ એન્ટીઓક્સીડેન્ટ અને ટારટરિક એસિડથી ભરપૂર આંબલી શરીરમાં કેન્સર ના સેલ્સને વધતા રાકે છે. આબલીથી આપણે કેન્સર જેવી ભંયકર રોગથી દૂર રાખે છે. ભૂખ્યા પેટે આંબલીને પાણીમાં પલાળીને જે પાણી હોય તે પીવું જોઈએ.

ઘાવ મટાડવા માટે મદદ કરે છે –

આંબલીનો જ્યૂસ ઘાવને મટાડવા માટે બહુ ફાયદાકારક છે. દુનિયાના કેટલાંક દેશમાં ઘાવના ઉપચાર માટે આંબલીના પાન અને તેની છાલનો ઉપયોગ કરે છે. તેમા રહેલાં એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટીરિયલ ગુણ હોય છે. તેમજ માત્ર 10 દિવસમાં ઘાવને મટાડવા માટે આંબલીના બીજ બહુ ફાયદાકારક છે.

હૃદયને સ્વસ્થ રાખવા માટે –

આંબલીને હાર્ટ ફ્રેન્ડલી પણ માનવામાં આવે છે. આંબલીમાં રહેલાં ફ્લેવોનોઈડસ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવાની સાથે કોલેસ્ટ્રોલનું સ્તર વધારવામાં મદદ કરે છે. તે લોહીમાં ટ્રાઈગ્લિસરાઈડ્સને બનતા અટકાવે છે. તેમાં રહેલું પોટેશિયમ રક્તપિતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

ગળુ છોલાવવાની સમસ્યા –

આંબલીના પાંદડા દ્વારા છોલાયેલું ગળુ કે ઉધરસની સમસ્યાને દૂર કરવા માટે રામબાણ ઉપાય છે. ઉધરસ તેમજ ગળુ છોલાય ગયું હોય ત્યારે આ સમસ્યામાંથી મિનિટોમાં રાહત મેળવવા આંબલીના પાંદડાને પીસીને પીવાથી રાહત મળે છે. આને દિવસમાં બે વાર સેવન કરવાનું છે.

Recent Posts

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

7 days ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

7 days ago

રાશિફળ ૧૨ જૂન: વૃશ્ચિક, ધનુ અને મકર રાશિ માટે આવકના નવા રસ્તા ખુલશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More

1 week ago

WTC ફાઇનલ પ્રાઇઝ મની: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વિજેતા પર પૈસાનો વરસાદ થશે, તેને IPL વિજેતા કરતા વધુ રકમ મળશે

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More

1 week ago

અમિતાભ બચ્ચન: યુઝરે કહ્યું- ‘સૂઈ જાઓ, તમે વૃદ્ધ થઈ છો’, બિગ બીએ આપ્યો યોગ્ય જવાબ !!

બિગ બી પોતાના ટ્વીટને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. હવે એક ટ્રોલરને આપેલો તેમનો જવાબ… Read More

1 week ago

WTC ફાઇનલ: જો ફાઇનલ ડ્રો થાય તો કોણ વિજેતા બનશે? જાણો ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં કયા બોલનો ઉપયોગ થશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ​​ની ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમો લંડનના… Read More

1 week ago