આપણે સૌ શાકાહારી છીએં. આપણાથી હાથીનો પગ ખવાય? અને તે પણ ફ્લાહરમાં..? માળા હાળા અંગ્રેજોએ એક કંડમૂલનું નામ આપી દીધું “Elephant foot(Yam)”
આ નામ સાંભળીને ગભરાવાનું નથી… તે કંદમૂળ છે ” સુરણ ” તેનું બિલકુલ બટેટા જેવું શાક પણ થાય અને ફરાળી વાનગી પણ બને અને તે પણ સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર..! આ માટે વિડિયો જુઓ અને સમય મળ્યે જરૂર બનાવજો. બટેટા ચરબી વધારે છે સુરણ નહિ. આયુર્વેદમાં તેને શ્રેષ્ઠ આહાર માનવામાં આવ્યો છે. જાણીતા ભગવદ્દ કથાકાર સ્વ. પૂજ્ય ડોંદરેજી મહારાજ દરરોજ બાફેલા સુરણ સાથે ગૌમૂત્ર ખોરાકમાં લેતા.
ફાયદા:
૧. ચામડીના રોગોમાં ફાયદાકારક. ચામડીનું તેજ વધારે છે. કુષ્ઠ રોગ(કોઢ) વાળા માટે શ્રેષ્ઠ.
૨. સુરણમાં કેલશ્યમ, પોટેશ્યમ અને અનેક વિટામિન તથા પ્રોટીન તથા ફાઈબર(રેસા) સમાવિષ્ટ હોય છે. લોહી વર્ધક અને રક્ત સુધારક છે.
૩. ડાયાબિટીસના દર્દીઓ માટે બટેટાં ફાયદાકારક નથી પણ સુરણ શ્રેયકર છે.
૪. દરરોજ બટેટાની અવેજીમાં ખોરાકમાં લઈ શકાય છે.
૫. દિવસો સુધી સચવાઈ રહે છે. બગડતું નથી.
૬. ગર્ભવતી સ્ત્રીને પૂરતા પોષક તત્વોની જરૂર હોય છે તે સુરણ પૂરા પાડી શકે છે.
૭. બાફેલા સુરણનું પાણી ભાતના ઓસામણ અથવા બિટ અથવા ગાજર ના રસમાં ભેળવી તથા થોડા પ્રમાણમાં આદુનો રસ મેળવી બાળકને દરરોજ એક ચમચી આપવાથી બાળક શરીર તથા બુધ્ધિમાં તેજ થાય છે.
૮. ઊંધિયા ના શાકમાં વપરાય છે.
ગમે અને ફાવે તો સુરણ અજમાવજો.
ટીમ ઈન્ડિયાના સેલિબ્રેશનની તસવીરોઃ T20 વર્લ્ડ કપ જીતીને ભારત પરત ફરેલી ટીમ ઈન્ડિયાના સ્વાગત માટે… Read More
મેષ રાશિફળ: આજનો દિવસ વ્યવસાય કરતા લોકો માટે કેટલાક ઉતાર-ચઢાવ લાવશે, આથી તમારે સાવધાનીથી કામ… Read More
મેષ રાશિફળ: આજનો દિવસ તમારા માટે સારી સંપત્તિનો સંકેત આપી રહ્યો છે. નોકરીમાં કામ કરતા… Read More
મેષ રાશિફળ: આજનો દિવસ તમારા માટે આનંદથી ભરેલો રહેશે, પરંતુ તમે તમારા કાર્યોમાં ઢીલા રહી… Read More
મેષ રાશિફળ આજનો દિવસ તમારા માટે આળસથી ભરેલો રહેશે, જેના કારણે તમે તમારા કામ પર… Read More
મેષ- વ્યાવસાયિક રહો અને હંમેશા ખાતરી કરો કે તમે તમારા શ્રેષ્ઠ વર્તન પર છો. તમારામાં… Read More