સાબરમતી નદી એટલે અમદાવાદની આગવી ઓળખ. તેમાં પણ નદીની બંને બાજુએ રિવરફ્રન્ટ તૈયાર થઈ થયો તે પછી તે હરવા-ફરવાનું સ્થળ બની ગયું. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે રિવરફ્રન્ટ તેમનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો. અહીં મોદીએ સી-પ્લેનથી માંડીને હેલિકોપ્ટર રાઈડ, ઝીપ રાઈડ અને નદીમાં બોટિંગની સુવિધા પણ શરૂ કરી હતી. આગામી સમયમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ થશે, અને ટૂંક સમયમાં જ મેટ્રો તથા બુલેટ ટ્રેન પણ નદી પરથી દોડતી થશે. હવે નદીની બંને બાજુએ ચાલીને જઈ શકાય તે માટેનો અટલ વોક-વે બ્રિજ પણ બની ગયો છે જેનું વડાપ્રધાન મોદીની અમદાવાદમાં ઉપસ્થિતિ સાથે લોકાર્પણ થયું છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે મોદી 2014માં વડાપ્રધાન બન્યા તે પછી રીવરફ્રન્ટ માત્ર ચાર વખત આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં સાબરમતી નદી પર પદયાત્રીઓ માટે અટલ પુલ (ફૂટ ઓવર બ્રિજ)નું ઉદ્ઘાટન કર્યું. આ પુલનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આ પુલના નિર્માણથી સાબરમતીના કિનારે ધન્યતા અનુભવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અટલ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજને આકર્ષક ડિઝાઈન અને એલઈડી લાઈટોથી શણગારવામાં આવ્યો છે. આ પુલ જોઈને દિલ ખુશ થઈ જાય છે. આ પુલ પરથી સાબરમતી નદીનો સુંદર નજારો પણ જોવા મળે છે.
આ પુલ લગભગ 300 મીટર લાંબો અને 14 મીટર પહોળો છે. આ ફૂટ ઓવર બ્રિજ રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે ફૂલ બગીચાને અને પૂર્વ છેડે કલા અને સંસ્કૃતિ કેન્દ્રને જોડે છે.
રાહદારીઓ ઉપરાંત સાઇકલ સવારો પણ નદી પાર કરવા માટે આ પુલનો ઉપયોગ કરી શકશે. આ બ્રિજ બનાવવા માટે 2,600 મેટ્રિક ટન સ્ટીલ પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ મહત્વકાંક્ષી યોજના હવે મેદાને પડી ગઈ છે. આ રેલિંગ કાચ અને સ્ટીલની બનેલી છે. જ્યારે, છત રંગીન કાપડની બનેલી છે. અટલ બ્રિજ અમદાવાદ માટે ટુરિસ્ટ સ્પોટ બનશે.