જાણો શા માટે 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની કરવામાં આવે છે ઉજવણી
ઇન્ટરનેટથી દુનિયાના ખૂણે ખૂણા જોડાતાં વિવિધ સંસ્કૃતિઓનું પણ જોડાણ થયું છે અને લોકો પોતાની અનુકુળતાએ તેનું અનુકરણ કરવા લાગ્યા છે. ફેબ્રુઆરી મહીનો આવે એટલે સૌ પ્રથમ લોકોને તેનો 28-29 દિવસનો ફંડા યાદ આવે અને ત્યાર બાદ 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે યાદ આવે.
પશ્ચિમ જગતમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી પ્રેમના દિવસ તરીકે કરવામા આવે છે. બસ હવે તો વેલેન્ટાઇન ડેને ગણતરીના દીવસો જ બાકી રહ્યા છે. આ પ્રકારના દિવસની ઉજવણી સામાન્ય રીતે કોલેજીયનો સૌથી વધારે કરતા હોય છે.
કોલેજમાં પણ વિવિધ દિવસની ઉજવણી ઓ કરવામા આવતી હોય છે. જેમ કે ચોકલેટ ડે, મિક્સ એન્ડ મેચ ડે, ટ્રેડીશનલ ડે, રોઝ ડે વિગેરે વિગેરે જો કે તમને જણાવી દઈએ કે 14મી ફેબ્રુઆરી પહેલાં સાત દિવસે એટલે કે 7મી ફેબ્રુઆરીના દિવસને રોઝ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે.
પ્રેમી યુગલો આખું વર્ષ વેલેન્ટાઈન દિવસની રાહ જોઈ રહે છે. આ દિવસ પ્રેમી યુગલો વિવિધ રીતે સેલિબ્રેટ કરે છે, તેઓ એકબીજાને ભેટ આપે છે, ક્યાંક ફરવા જાય છે અથવા તો ક્યાંક રોમેન્ટિક લંચ લે છે. તો વળી કેટલાક લોકો આ દીવસે એકબીજા સમક્ષ પોતાના પ્રેમનું પ્રપોઝલ પણ મુકે છે.
અને હીન્દુ સમાજમાં આ દિવસો દરમિયાન લગ્ન સિઝન ચાલી રહી હોય છે તો કેટલાક યુગલ તો પોતાના લગ્ન દિવસ તરીકે ખાસ આ જ દિવસે પોતાના લગ્નની તારીખ નક્કી કરે છે.
જો તમને કુતુહલ થતુ હોય કે શા માટે 14મી ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઇ ડે ઉજવવામાં આવે છે અને તેની પાછળ કારણ કે પછી તેનો ઇતિહાસ શું છે તો અમે તમારા માટે આજે તે જ માહિતી લઈને આવ્યા છે.
સંતના નામ પરથી દિવસનું નામ પડ્યું ‘વેલેન્ટાઇન ડે’
આ દિવસની ઉજવણીનો ઉલ્લેખ એક ઇંગ્લિશ પુસ્તક ‘ઓરિયા ઓફ જેકોબસ ડી વૉરજિન’માં કરવામા આવ્યો છે. તે પ્રમાણે રોમના એક સંત વેલેન્ટાઈનની યાદમાં આ દિવસની ઉજવણી કવરામા આવે છે. એવું કહેવાય છે કે સેઇન્ટ વેલેન્ટાઇન વિશ્વભરમાં પ્રેમનો સંદેશ ફેલાવવા સતત પ્રયત્નશીલ રહેતા હતા.
જો કે તે વખતે રોમ પર સામ્રાજ્ય ધરાવતા સમ્રાટ ક્લાઉડિયસને તેમની આ વાત જરા પણ પસંદ નહોતી. સમ્રાટને એવું લાગવા લાગ્યુ હતું કે જો રોમના લોકો પોતાના પરિવાર તેમજ પોતાની પત્ની સાથે લાગણીથી આટલા બંધાયેલા રહેશે તો તેઓ સૈન્યમાં જોડાશે નહીં.
અને આ ભયથી જ ક્લાઉડિયસ પોતાના સૈનિકોને લગ્ન કરવા નહોતો દેતો. અને સમ્રાટની આ જ વિચારશરણીનો સંત વેલેન્ટાઇને વિરોધ કર્યો હતો અને તેના વિરોધમાં તેમણે એક યુગલના લગ્ન કરાવી દીધા હતા. અને તેમના આ પ્રયાસથી ગુસ્સે ભરાયેલા સમ્રાટ ક્લાઉડિયસે 14 ફેબ્રુઆરીના દિવસે સંત વેલેન્ટાઈનને સૂળી પર લટકાવી દીધા.
વેલેન્ટાઈન ડે પર પુષ્પ ભેટ આપવા પાછળનુ કારણ
વેલેન્ટાઈન સંતને જ્યારે સમ્રાટ દ્વારા કારાવાસની સજા કરવામાં આવી ત્યારે લોકો તેમને ભેટરૂપે અવારનવાર ફૂલ તેમજ વિવિધ જાતના પ્રેમનો સંદેશો ફેલાવતા ઉપહારો ભેટ સ્વરૂપે આપતા હતા.
મૃત્યુના દિવસે સંત વેલેન્ટાઈને જેલના જેલરને એક ચિઠ્ઠી લખી હતી જેમાં લખ્યું હતું કે તેમની આંખો તેમના મૃત્યુ બાદ તેમની આંધળી દીકરીને આપી દેવી. બસ તો ત્યારથી જ પ્રેમના સંત એવા સેઇન્ટ વેલેન્ટાઈનની યાદમા આ દિવસની ઉજવણી પ્રેમના દિવસ તરીકે કરવામાં આવે છે.
Nowi gracze są witani znaczącym bonusem powitalnym, który najczęściej mieści szczodrobliwy nadprogram od czasu głównego… Read More
Szczegóły na temat wpłat i wypłat zamieściliśmy osobno w sekcjach znajdujących się poniżej. Wyłącznym niedoskonałością… Read More
Aktywując premia, pełnoprawni członkowie Slotica casino otrzymują 200% od czasu depozytu w wysokości 15€ lub… Read More
Xoilac TV is not merely appropriate for following live soccer action in HIGH-DEFINITION, but also… Read More
We consider that will great structures will be constantly anything which usually emerges out coming… Read More
To record misuse regarding a .US.COM website, you should make contact with the Anti-Abuse Group… Read More