આજે પણ હનુમાનજી હાજર છે, આ પહાડ પર રહે છે.

આ જગ્યાને ભગવાન હનુમાનનું નિવાસ સ્થાન માનવામાં આવે છે, પુરાણોમાં પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે.

હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખ મળ્યો છે કે 8 એવા લોકો છે જે ચિરંજીવી છે એટલે કે તેમને અમર રહેવાનું વરદાન મળ્યું છે. તેમાં ભગવાન હનુમાનનો પણ સમાવેશ થાય છે. ભગવાન રામ અને સીતાનું વરદાન મેળવી હનુમાનજી અમર બની ગયા.

એવી માન્યતા છે કે કૈલાશ પર્વતની ઉત્તર દિશા તરફ એક ખાસ જગ્યા છે, જ્યાં ભગવાન હનુમાન આજે પણ રહે છે. ભગવાન હનુમાનના નિવાસ સ્થાનનું વર્ણન કેટલાએ ગ્રંથો અને પુરાણોમાં કરવામાં આવ્યું છે. આમ પણ હીન્દુ શાસ્ત્રોમાં હનુમાનજીનો ઉલ્લેખ યુગોનો છે. તેઓ રામાણમાં તો હતા જ પણ ત્યાર પછીના યુગમાં મહાભારતમાં પણ તેમના અસ્તિત્તવનો ઉલ્લેખ કરવામા આવ્યો છે.

ભગવાન હનુમાન ગંધમાદન પહાડ પર રહે છે – પુરાણોના ઉલ્લેખ મુજબ, કળિયુગમાં હનુમાનજી ગંધમાદન પર્વત પર રહે છે. એક કથા પ્રમાણે, પોતાના અજ્ઞાતવાસના સમયે હિમવંત પાર કરી પાંડવો ગંધમાદન પાસે પહોંચ્યા હતા. એક વાર ભીમ સહસ્રદળ કમળ લેવા ગંધમાદન પહાડના વનમાં પહોંચી ગયા હતા, જ્યાં તેમણે હનુમાનજીને સુતેલા જોયા અને તેમનું બળ જોઈ ભીમ નો અહંમ ચકનાચૂર થઈ ગયો હતો.

ગંધમાદન પહાડી વિસ્તાર અને વન – શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ગંધમાદન પહાડ કૈલાસ પર્વતની ઉત્તર તરફ સ્થિત છે. આ પર્વત પર મહર્ષિ કશ્યપે તપસ્યા કરી હતી. આ પહાડ પર ગંધર્વ, કિન્નરો, અપ્સરાઓ અને સિદ્રઢ ઋષિઓનો નિવાસ છે. આ પહાડના શિખર પર કોઈ વાહનથી પહોંચી નથી શકાતું. ગંધમાદન પહાડ હિમાલયના કૈલાશ પર્વતની ઉત્તર દિશા તરફ આવેલો છે. આ પહાડ કુબેરના રાજ્યક્ષેત્રમાં હતો.

હાલ ગંધમાદન પહાડ ક્યાં છે ? – ગંધમાદન પહાડ હિમાલયના કૈલાશ પર્વતની ઉત્તર દિશા તરફ આવેલો છે. આ પહાડ કુબેરના રાજ્યક્ષેત્રમાં હતો. સુમેરુ પર્વતની ચારે દિશામાં ગજદંત પર્વતોમાંના એકને તે સમયમાં ગંધમાદન પહાડ કહેવામાં આવતો હતો. આજે તે વિસ્તાર તિબેટમાં આવેલો છે. તે જ નામથી એક બીજો પહાડ રામેશ્વરમની પાસે પણ આવેલો છે, જ્યાંથી હનુમાનજીએ સમુદ્ર પાર કરવા માટે છલાંગ લગાવી હતી.

ગંધમાદન પહાડ પર બનેલું મંદિર – ગંધમાદન પહાડ પર એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે, જેમાં ભગવાન હનુમાનની સાથે જ ભગવાન રામ વિગેરેની મૂર્તિઓ પણ આવેલી છે. કહેવાય છે કે આ પર્વત પર ભગવાન શ્રીરામે પોતાની વાનરસ સેનાની સાથે બેસી યુદ્ધની વ્યૂહરચના બનાવી હતી. કેટલાએ લોકોનું કહેવું છે કે આ પહાડ પર ભગવાન રામના પગના નિશાન પણ છે.

Recent Posts

રાશિફળ ૧૧ જુલાઈ: વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોને કારકિર્દી અને વ્યવસાયમાં સફળતાની પ્રબળ શક્યતાઓ છે,

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More

22 hours ago

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી: એકતા કપૂર 25 વર્ષ પછી શો પાછો લાવવા માંગતી ન હતી, તેણે પોતે જ કહ્યું કારણ

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More

1 day ago

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

4 weeks ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

4 weeks ago

રાશિફળ ૧૨ જૂન: વૃશ્ચિક, ધનુ અને મકર રાશિ માટે આવકના નવા રસ્તા ખુલશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More

4 weeks ago

WTC ફાઇનલ પ્રાઇઝ મની: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વિજેતા પર પૈસાનો વરસાદ થશે, તેને IPL વિજેતા કરતા વધુ રકમ મળશે

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More

4 weeks ago