જીવનમાં હંમેશ માટે સફળતા મેળવવી હોય તો સવારમાં વહેલા ઉઠીને કરો આ 3 મંત્રનો જાપ

સવારે ઉઠીને સૌથી પહેલાં કરો આ 3 મંત્રનો જાપ, તમારા જીવનમાં નહીં રહે કોઇ અડચણ

હિન્દૂ ધર્મ પરંપરાનો ધર્મ માનવામાં આવે છે. આપના શાસ્ત્રોમાં ઘણી એવી વાતો છે જેનાથી આપણે સાવ અજાણ જ છે. અને જો કદાચ જાણતા પણ હોય તો પૂરેપૂરી માહિતી આપણી પાસે નથી હોતી. આપણા આ શાસ્ત્રોમાં કેટલાંક નિયમો, શુભ-અશુભ અને યોગ માટેનાં ઉપાય જણાવવામાં આવ્યા છે. જો આપણે આ શાસ્ત્રોમાં દર્શાવેલ ઉપાયનું નિયમિત રીતે પાલન કરીએ તો આપણને સફળતા અવશ્ય મળે છે.

image source

આમ તો એવું જ કહેવામાં આવે છે કે સ્નાન કર્યા બાદ જ પૂજા પાઠ, પ્રભુ ભક્તિ કે પછી કોઇ શુભ કાર્ય હાથ પર લેવુ જોઈએ. પરંતુ જો સવારે ઉઠતાની સાથે જ ન્હાયા વગર પણ જો તમે આ મંત્રોનો જાપ કરશો તો તમારાં જીવનની ઘણી બધી તકલીફો દૂર થઇ જશે.

ब्रह्मा मुरारिस्त्रिपुरान्तकारी भानुः शशी भूमिसुतो बुधश्च ; गुरुश्च शुक्रः शनि राहुकेतवः कुर्वन्तु सर्वे ममसुप्रभातम्..

image source

આ મંત્રનો અર્થ થાય છે કે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ , રાહુ અને કેતુ આ દરેક દેવ મારી સવારને શુભ બનાવે. આ મંત્રને લઇને એવી માન્યતા પ્રવર્તે છે કે તેનો જાપ કરવાથી દેવી-દેવતા અને નવ ગ્રહ પ્રસન્ન થાય છે અને આપણને તેમની કૃપા મળે છે. એટલું જ નહીં નિયમિત આ મંત્ર બોલનાર વ્યક્તિને દરેક પ્રકારના દુર્ભાગ્યથી મુક્તિ મળે છે

कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती ; करमूले तू गोविंद: प्रभाते करदर्शनम्..

image source

એવું કહેવામાં આવે છે કે સવારે ઉઠતાની સાથે જ તમારે તમારી હથેળી જોવી જોઇએ, કારણ કે એવું માનવામાં આવે છે કે આપણા હાથના આગળના ભાગમાં દેવી લક્ષ્મી, મધ્ય ભાગમાં દેવી સરસ્વતી અને હાથના મૂળભાગમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આ કારણથી તમે જ્યારે સવારે ઉઠો કે તરત જ તમારેબન્ને હથેળીને એકસાથે જોઇને આ મંત્રનો જાપ કરવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

image source

એવું પણ કહેવામાં આવે છે કે સવારે તમે જ્યારે ઉઠો અને જમીન પર તમારા પગ મુકો એ તમે પહેલા ધરતી માતાને પ્રણામ કરો, કારણ કે ધરતી માતા પર આપણે આખો દિવસ ચાલીએ છીએ. આખો દિવસ તેની પર ચાલીને કામ કરીએ છીએ. આ કારણથી સવારે ઉઠીને સૌથી પહેલા આપણે ધરતી માને પ્રમાણ કરીને તેમની માફી માંગવી જોઇએ. અને આ મંત્ર બોલવો જોઈએ

image source

સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે |

વિષ્ણુપત્નિ નમસ્તુભ્યં, પાદસ્પર્શં ક્ષમસ્વમે

Recent Posts

આજ કા રાશિફળ 31 જુલાઈ: મહિનાનો આખરી દિવસ આ રાશિફળને સારો લાભ મળે છે, વાંચો દૈનિક રાશિફલ

મેષ (મેષ) સ્વભાવ: ઉત્સાહી રાશિ ભગવાન: મંગળ શુભ રંગ: લાલ આજે તમારા માટે આલસ્ય તેગકર… Read More

4 weeks ago

આજનું રાશિફળ ૧૯ જુલાઈ: આ ચાર રાશિના જાતકોના સુખ-સુવિધાઓમાં વધારો થશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિ સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે સુખ-સુવિધાઓમાં વધારો… Read More

1 month ago

રાશિફળ ૧૧ જુલાઈ: વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોને કારકિર્દી અને વ્યવસાયમાં સફળતાની પ્રબળ શક્યતાઓ છે,

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More

2 months ago

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી: એકતા કપૂર 25 વર્ષ પછી શો પાછો લાવવા માંગતી ન હતી, તેણે પોતે જ કહ્યું કારણ

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More

2 months ago

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

3 months ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

3 months ago