જીવનમાં દરેક સુખી રહેવા માંગે છે, કોઈ પણ વ્યક્તિ અસ્વસ્થ લોકો સાથે રહેવા માંગતું નથી. ઘણા લોકો ખૂબ ખુશ હોય છે, આપણે તેમની આદતો અને માનસિકતાને જાણવા માટે ઘણો સમય બગાડતા હોઈએ છીએ. આપણે આખો દિવસ આવી ઘણી ભૂલો કરીએ છીએ, જેના કારણે આપણી ખુશીનો નાશ થાય છે. જે લોકો ખુશ છે તે ભૂલો કરતી નથી. આખો દિવસ સંપૂર્ણતા સાથે પોતાનું કાર્ય કરે છે. ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રની ભૂમિ પર અર્જુનને કર્મ અને ધર્મ શીખવ્યાં હતા ત્યારે તેને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ગીતામાં માનવ જાતને લગતી બધી બાબતો જણાવી છે. તે કઈ બાબતો છે તેના વિષે આપણે જાણીએ.
તુલના:
જે લોકોને જીવનમાં સંતોષ હોય તેવા લોકો જ જીવનમાં ખુશ રહેવા માટે સક્ષમ છે. તેઓ જેની પાસે છે તેના માટે તેમનો આભાર વ્યક્ત કરે છે. તેઓ તેમના જીવનની તુલના બીજાના જીવન સાથે કરતા નથી. તે કોઈ પણ વ્યક્તિ સાથે તેની તુલના કાતો નથી. તેનાથી તે હંમેશા જીવનમાં ખુશ રહે છે.
ભૂતકાળથી અંતર:
ભૂતકાળમાં ખોવાયેલા લોકો હંમેશા નિરાશ જ રહે છે. ભૂતકાળમાં બનેલી ઘટનાઓ વિશે આપણે વિચારીએ છીએ, પરંતુ આ ફક્ત સમયનો વ્યય છે. તેના કારણે આપણે વર્તમાનમાં જીવી શકતા નથી. આપણે વિતાવેલા સમય વિષે જ વિચાર કરતા રહીએ છીએ તેના કારણે આપને ક્યારેય ખુશ રહી શકતા નથી. તેથી તમારે પણ ખુશ રહેવું હોય તો તમારે ભૂતકાળને પાછળ મુકીને આગળ વધવું જોઈએ. તે લોકો જ ખુશ રહે છે જે સમયની સાથે ચાલે છે.
ફરિયાદ:
દરેક બાબતે ફરિયાદ કરવી એ એક ખરાબ લક્ષણ માનવામાં આવે છે જે તમને એકાગ્ર થવા દેતું નથી. આની સાથે તમે જીવનમાં જે પ્રાપ્ત કરવા માંગો છો તે તમે મેળવી શકતા નથી. સુખી લોકો એ હકીકત સમજે છે કે ફરિયાદ કરવી એ સમાધાન નથી. તેના માટે તે નાની નાની વાતમાં કોઈ ફરિયાદ કરતા નથી તેથી તાના જીવનમાં તે હંમેશા ખુશ રહે છે.
ટીકા:
જે લોકો સુખી હોય છે તે કોઈની ટીકા કરતા નથી. તેઓ માને છે કે આ રીતે તેઓ બીજાની ટીકા કરીને પોતાની ખુશીને ખતમ કરે છે. આની સાથે, તેનો સ્વભાવ ખૂબ સરળ રાખે છે અને તે તેની સાથે બીજાની ખુશીની સંભાળ પણ રાખે છે.
લીધેલા નિર્ણયોની ચિંતા કરવી નહિ :
જેઓ હંમેશાં ખુશ રહે છે, તેઓ તેમના જીવનમાં માટે લીધેલ નિર્ણયોનું પરિણામ શું થશે તેની ઉપાધી નથી કરતા હોતા. આથી તેઓ તેમના જીવનમાં હંમેશાં ખુશ રહી શકે છે અને સ્વતંત્રતા તેમનું જીવન જીવે છે. તે લીધેલા નિર્ણય વિષે વધારે વિચાર કરતા નથી તે હંમેશા સમય સાથે ચાલે છે તેથી તે હંમેશા ખુશ રહે છે.
મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More
विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More
चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More
जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More
अमिताभ बच्चन को उनकी लंबी फिल्मोग्राफी और ऑन-स्क्रीन करिश्मा के लिए एक जीवित किंवदंती कहा… Read More
रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More