ડાયાબિટીસના દર્દીઓને લીમડાના પાનનું સેવન કરવાની વણમાંગી સલાહ સૌથી પહેલા મળતી હોય છે. પરંતુ શું ખરેખર લીમડાના પાન ડાયાબિટીસની સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી છે… જો આ પ્રશ્ન તમને પણ થતો હોય તો આજે તેનું સમાધાન તમને મળી જશે.
લીમડાના અનેક લાભ થાય છે પરંતુ તેનો ઉપયોગ અનેક વસ્તુઓમાં કરી શકાય છે. માત્ર ડાયાબિટીસ માટે નહીં પરંતું માથાના વાળનો ખોડો દૂર કરવાથી માંડી શરીરની અનેક બીમારીને દૂર કરવાની ક્ષમતા લીમડામાં છે. તો ચાલો જાણી લો તમે આજે કે લીમડાના પાન કઈ કઈ બીમારીને દૂર કરી શકે છે.
લીમડાના પાનથી થતાં લાભ
લીમડાના પાનમાં ફંગસવિરોધી અને જીવાણુરોધી ગુણ હોય છે જે ત્વચા તેમજ વાળ માટે લાભદાયી છે. લીમડાના પાનને પાણીમાં ઉકાળી અને તેનો ઉપયોગ નહાવામાં કરવાથી વાળ અને ત્વચાનું સ્વાસ્થ્ય સુધરે છે.
પેઢાની સમસ્યા
પેઢામાં સમસ્યા હોય તો પણ લીમડાનો ઉપયોગ કરી શકાય છે. પેઢામાં સોજો હોય તો તેને દૂર કરવામાં તેમજ મોંમાંથી આવતી દુર્ગંધને દૂર કરવામાં પણ લીમડાના પાન ફાયદો કરે છે. લીમડાના પાનને વાટી તેને પેઢા પર લગાડી મસાજ કરવી અને 10 મિનિટ તેને રહેવા દેવું. પછી પાણીથી કોગળા કરી મોં સાફ કરી લેવું.
ડાયાબિટિસ માટે ઉપયોગી
લીમડાના પાન ડાયાબિટિસના રોગીઓ માટે પણ લાભકારક છે. તેનાથી સુગર નિયંત્રિત થાય છે. ડાયાબિટિસના દર્દીઓએ નિયમિત રીતે લીમડાનો રસ પીવો જોઈએ.
કૃમિ નાશક
લીમડો કૃમિ નાશક છે. પેટમાં થતી કૃમિનો નાશ લીમડો કરે છે. સવારના સમયે ખાલી પેટ લીમડાના પાનનો રસ બે ચમચી નિયમિત પીવાથી કૃમિ દૂર થાય છે. પેટની કૃમિના કારણે જેનું વજન વધતું ન હોય તેમને પણ લીમડાના પાનનો રસ પીવાથી લાભ થાય છે અને વજન વધવા લાગે છે.
મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More
विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More
चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More
जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More
अमिताभ बच्चन को उनकी लंबी फिल्मोग्राफी और ऑन-स्क्रीन करिश्मा के लिए एक जीवित किंवदंती कहा… Read More
रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More