પ્રેમના સંબંધોને વધુ મજબૂત કરવા જ્યોતિષ શાસ્ત્રના આ ઉપાયો અજમાવો તમે પણ

સુખી દાંપત્ય જીવનનો આધાર પતિ-પત્ની વચ્ચેના વિશ્વાસ અને પ્રેમ પર હોય છે. જો પતિ-પત્ની વચ્ચે વિશ્વાસ હોય તો દાંપત્યજીવનમાં કોઈ જ સમસ્યા આવતી નથી. પરંતુ જો બંને વચ્ચે વિશ્વાસની ખામી હોય તો સંબંધમાં સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. જો દાંપત્યજીવનમાં મધુરતા ન હોય તો કેટલાક લોકોનું મન ઘરની બહાર ભટકવા લાગે છે. આવી સ્થિતીમાં પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ ઓછો થઈ જાય છે અને ક્લેશ વધી જાય છે.

દાંપત્યજીવન જો બરાબર ન હોય તો તેની અસર પરિવાર માળા પર પણ પડે છે. ઘરમાં માતા-પિતા, સંતાનોને પણ કંકાશનું વાતાવરણ વિચલિત કરી શકે છે. તેમાં પણ જો પતિ-પત્ની વચ્ચે લડાઈ ઝઘડા રોજ થવા લાગે તો સંબંધ તુટતાં પણ સમય નથી લાગતો. ઘરમાં જ્યારે આવી સ્થિતી સર્જાય ત્યારે જ તેનો ઉપાય પણ કરી દેવો જોઈએ. આવી સ્થિતીનું સમાધાન જ્યોતિષ શાસ્ત્ર અને અન્ય ગ્રંથોમાં આપવામાં આવ્યું છે. આ સમાધાન કેટલાક સરળ ઉપાય છે. આ ઉપાય કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને ક્લેશ દૂર થઈ જાય છે.

image source

– દરેક માસની પૂનમની તિથી પર ઘરમાં ખીર બનાવવી. ખીર બનાવી તેને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને ધરાવવી અને પછી તે પ્રસાદ પતિ-પત્નીએ સાથે ગ્રહણ કરવો.

– પતિ વારંવાર ક્રોધ કરતો હોય તો પત્નીએ દરરોજ શિવ મંદિરમાં જઈ શિવલિંગનો જળાભિષેક કરી અને લાલ ગુલાબના ફૂલ ચઢાવવા.

image source

– પતિનું મન બહાર ભટકતું હોય તો પત્નીએ આ ઉપાય કરવો. ઉપાયમાં કરેણના પીળા ફૂલને પાણીમાં વાટી અને તેનું તિલક પતિના કપાળ પર કરવું.

– દાંપત્યજીવનમાં સર્જાયેલી સમસ્યાઓને શીર્ઘ દૂર કરવી હોય તો પત્નીએ રોજ શિવ-પાર્વતીની પૂજા કરવી જોઈએ. શિવ-પાર્વતીજીના આશીર્વાદથી દાંપત્યજીવનની સમસ્યાઓ ઝડપથી દૂર થશે અને પરસ્પર પ્રેમ પણ વધશે.

image source

– પતિ-પત્ની બંનેએ દર ગુરુવારે ભગવાન વિષ્ણુના મંદિરમાં દર્શન કરવા જવું જોઈએ. દર્શન કરવા જતી વખતે પીળા વસ્ત્ર પહેરવા અને ભગવાનને પીળી મીઠાઈ ધરાવવી.

– જે સ્ત્રીને પતિનો પ્રેમ ન મળતો હોય તેણે રોજ કેળાના વૃક્ષને જળ ચઢાવવું અને ગુરુવારના દિવસે તેના મૂળમાંથી એક ટુકડો તોડી અને ઘરે લાવવો. આ ટુકડાને લાલ દોરાની મદદથી પતિના હાથ પર બાંધી દેવો. પતિનો પ્રેમ મળવા લાગશે.

Recent Posts

રાશિફળ ૧૧ જુલાઈ: વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોને કારકિર્દી અને વ્યવસાયમાં સફળતાની પ્રબળ શક્યતાઓ છે,

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More

21 hours ago

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી: એકતા કપૂર 25 વર્ષ પછી શો પાછો લાવવા માંગતી ન હતી, તેણે પોતે જ કહ્યું કારણ

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More

1 day ago

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

4 weeks ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

4 weeks ago

રાશિફળ ૧૨ જૂન: વૃશ્ચિક, ધનુ અને મકર રાશિ માટે આવકના નવા રસ્તા ખુલશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More

4 weeks ago

WTC ફાઇનલ પ્રાઇઝ મની: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વિજેતા પર પૈસાનો વરસાદ થશે, તેને IPL વિજેતા કરતા વધુ રકમ મળશે

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More

4 weeks ago