પ્રેમના સંબંધોને વધુ મજબૂત કરવા જ્યોતિષ શાસ્ત્રના આ ઉપાયો અજમાવો તમે પણ

સુખી દાંપત્ય જીવનનો આધાર પતિ-પત્ની વચ્ચેના વિશ્વાસ અને પ્રેમ પર હોય છે. જો પતિ-પત્ની વચ્ચે વિશ્વાસ હોય તો દાંપત્યજીવનમાં કોઈ જ સમસ્યા આવતી નથી. પરંતુ જો બંને વચ્ચે વિશ્વાસની ખામી હોય તો સંબંધમાં સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. જો દાંપત્યજીવનમાં મધુરતા ન હોય તો કેટલાક લોકોનું મન ઘરની બહાર ભટકવા લાગે છે. આવી સ્થિતીમાં પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ ઓછો થઈ જાય છે અને ક્લેશ વધી જાય છે.

દાંપત્યજીવન જો બરાબર ન હોય તો તેની અસર પરિવાર માળા પર પણ પડે છે. ઘરમાં માતા-પિતા, સંતાનોને પણ કંકાશનું વાતાવરણ વિચલિત કરી શકે છે. તેમાં પણ જો પતિ-પત્ની વચ્ચે લડાઈ ઝઘડા રોજ થવા લાગે તો સંબંધ તુટતાં પણ સમય નથી લાગતો. ઘરમાં જ્યારે આવી સ્થિતી સર્જાય ત્યારે જ તેનો ઉપાય પણ કરી દેવો જોઈએ. આવી સ્થિતીનું સમાધાન જ્યોતિષ શાસ્ત્ર અને અન્ય ગ્રંથોમાં આપવામાં આવ્યું છે. આ સમાધાન કેટલાક સરળ ઉપાય છે. આ ઉપાય કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને ક્લેશ દૂર થઈ જાય છે.

image source

– દરેક માસની પૂનમની તિથી પર ઘરમાં ખીર બનાવવી. ખીર બનાવી તેને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને ધરાવવી અને પછી તે પ્રસાદ પતિ-પત્નીએ સાથે ગ્રહણ કરવો.

– પતિ વારંવાર ક્રોધ કરતો હોય તો પત્નીએ દરરોજ શિવ મંદિરમાં જઈ શિવલિંગનો જળાભિષેક કરી અને લાલ ગુલાબના ફૂલ ચઢાવવા.

image source

– પતિનું મન બહાર ભટકતું હોય તો પત્નીએ આ ઉપાય કરવો. ઉપાયમાં કરેણના પીળા ફૂલને પાણીમાં વાટી અને તેનું તિલક પતિના કપાળ પર કરવું.

– દાંપત્યજીવનમાં સર્જાયેલી સમસ્યાઓને શીર્ઘ દૂર કરવી હોય તો પત્નીએ રોજ શિવ-પાર્વતીની પૂજા કરવી જોઈએ. શિવ-પાર્વતીજીના આશીર્વાદથી દાંપત્યજીવનની સમસ્યાઓ ઝડપથી દૂર થશે અને પરસ્પર પ્રેમ પણ વધશે.

image source

– પતિ-પત્ની બંનેએ દર ગુરુવારે ભગવાન વિષ્ણુના મંદિરમાં દર્શન કરવા જવું જોઈએ. દર્શન કરવા જતી વખતે પીળા વસ્ત્ર પહેરવા અને ભગવાનને પીળી મીઠાઈ ધરાવવી.

– જે સ્ત્રીને પતિનો પ્રેમ ન મળતો હોય તેણે રોજ કેળાના વૃક્ષને જળ ચઢાવવું અને ગુરુવારના દિવસે તેના મૂળમાંથી એક ટુકડો તોડી અને ઘરે લાવવો. આ ટુકડાને લાલ દોરાની મદદથી પતિના હાથ પર બાંધી દેવો. પતિનો પ્રેમ મળવા લાગશે.

Recent Posts

આજ કા રાશિફળ 31 જુલાઈ: મહિનાનો આખરી દિવસ આ રાશિફળને સારો લાભ મળે છે, વાંચો દૈનિક રાશિફલ

મેષ (મેષ) સ્વભાવ: ઉત્સાહી રાશિ ભગવાન: મંગળ શુભ રંગ: લાલ આજે તમારા માટે આલસ્ય તેગકર… Read More

1 month ago

આજનું રાશિફળ ૧૯ જુલાઈ: આ ચાર રાશિના જાતકોના સુખ-સુવિધાઓમાં વધારો થશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિ સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે સુખ-સુવિધાઓમાં વધારો… Read More

2 months ago

રાશિફળ ૧૧ જુલાઈ: વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોને કારકિર્દી અને વ્યવસાયમાં સફળતાની પ્રબળ શક્યતાઓ છે,

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More

2 months ago

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી: એકતા કપૂર 25 વર્ષ પછી શો પાછો લાવવા માંગતી ન હતી, તેણે પોતે જ કહ્યું કારણ

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More

2 months ago

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

3 months ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

3 months ago