જો તમે જીવનની કોઈપણ મુશ્કેલ લડાઈમા વિજય મેળવવા ઇચ્છો છો તથા તમારા અટકેલા કામને પૂર્ણ કરવા ઈચ્છો છો અથવા તમારા શત્રુઓને પરાસ્ત કરવા ઈચ્છો છો તો તમારે પ્રભુ શ્રી બજરંગબલીના વિશેષ આશીર્વાદની આવશ્યકતા પડી શકે છે. પવનપુત્ર બજરંગબલી એ પોતાના ભક્તોના તમામ દુઃખોને હરી લે છે.
પ્રભુ શ્રી બજરંગબલીની ભક્તિથી બળ, બુદ્ધિ અને જ્ઞાન સરળતાથી પ્રાપ્ત થાય છે. બજરંગબલીના નામ માત્રથી ભૂત-પ્રેત પણ તમારી નજીક આવતા નથી. જે કોઈપણ સાચા હ્રદયથી તેમણે સ્મરણ કરે છે, તેમના જીવનની તમામ મુશ્કેલીઓ તે દૂર કરે છે. શાસ્ત્રો મુજબ તે ચિરંજીવી છે.
દર મંગળવાર અને શનિવાર એ હનુમાનજીનો વિશેષ દિવસ હોય છે. બજરંગબલીના મંદિરમા દરરોજ લાખો ભક્તો પોતાની ઇચ્છાઓ પૂરી કરવા માટે આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ બજરંગબલીની પૂજા કરવાથી વ્યક્તિની કુંડળીમાં પેદા થયેલા તમામ અશુભ ગ્રહોની અસર આપોઆપ દૂર થઈ જાય છે.
આ ઉપરાંત પ્રભુ શનિએ પ્રભુ શ્રી બજરંગબલીને વચન આપ્યુ હતુ કે, જો કોઈ બજરંગબલીની પૂજા કરશે તો તેના પર શનિની દશા રહેશે નહીં. જો તમે શનિની અર્ધસતી સાડેસાતીથી પીડાઈ રહ્યા હોવ તો મંગળવારે બજરંગબલીની પૂજા કરો અને તેમને એક મીઠુ પાન અર્પણ કરો. જો મંગળ નબળો હોય તો મંગળવારે પાન અર્પણ કરીને તમારો મંગળ ઠીક થઈ શકે છે.
બજરંગબલી એ અષ્ટ સિદ્ધિ ધરાવે છે એટલે જો તમે બજરંગબલીને મીઠુ પાન અર્પણ કરશો તો લક્ષ્મી માતા સદાય તમારાથી પ્રસન્ન રહેશે અને તમારા ઘરમા ક્યારેય પણ આર્થિક નાણાભીડની સમસ્યા સર્જાશે નહિ. આ દિવસે તમે સરળતાથી તેમને ખુશ કરી શકશો અને તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી શકો છો.
મીઠા પાનથી પ્રભુ બજરંગબલી અત્યંત પ્રસન્ન થાય છે. મંગળવાર અને શનિવારના દિવસે પાન અર્પણ કરવાથી તમને ઇચ્છિત આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસે જે કોઈપણ ભકત પાન અર્પણ કરે છે તેને બજરંગબલીના વિશેષ આશીર્વાદ મળી રહે છે અને હનુમાનજી ભક્તોની દરેક ઈચ્છાઓને પણ પૂર્ણ કરે છે.
નિયમ પ્રમાણે પૂજા કર્યા પછી કરો, “હે હનુમાનજી, આ એક મીઠુ પાન તમે ગ્રહણ કરો અને તમે અમારા જીવનને મીઠાશથી ભરી દો. જો તમે ફક્ત આટલુ બોલશો તો બજરંગલીની કૃપાથી તમારી દરેક સમસ્યા ખૂબ જ ઝડપથી દૂર થઈ જશે. આ પાનમા તમે કત્થા, ગુલકંદ, સૌફ, બુરા અને સુમન કતરી ઉમેરી શકો છો. આ પાન એકસમ તાજી, મીઠી અને રસદાર હોવી જોઈએ. ધ્યાન રાખો કે આ પાનમા લીંબુ, તમાકુ અને સોપારીનો ઉપયોગ ના કરવો.
મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More
विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More
चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More
जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More
अमिताभ बच्चन को उनकी लंबी फिल्मोग्राफी और ऑन-स्क्रीन करिश्मा के लिए एक जीवित किंवदंती कहा… Read More
रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More