બજરંગબલીને મીઠુ પાન અર્પણ કરશો તો લક્ષ્મી માતા સદાય તમારાથી પ્રસન્ન રહેશે

જો તમે જીવનની કોઈપણ મુશ્કેલ લડાઈમા વિજય મેળવવા ઇચ્છો છો તથા તમારા અટકેલા કામને પૂર્ણ કરવા ઈચ્છો છો અથવા તમારા શત્રુઓને પરાસ્ત કરવા ઈચ્છો છો તો તમારે પ્રભુ શ્રી બજરંગબલીના વિશેષ આશીર્વાદની આવશ્યકતા પડી શકે છે. પવનપુત્ર બજરંગબલી એ પોતાના ભક્તોના તમામ દુઃખોને હરી લે છે.

image source

પ્રભુ શ્રી બજરંગબલીની ભક્તિથી બળ, બુદ્ધિ અને જ્ઞાન સરળતાથી પ્રાપ્ત થાય છે. બજરંગબલીના નામ માત્રથી ભૂત-પ્રેત પણ તમારી નજીક આવતા નથી. જે કોઈપણ સાચા હ્રદયથી તેમણે સ્મરણ કરે છે, તેમના જીવનની તમામ મુશ્કેલીઓ તે દૂર કરે છે. શાસ્ત્રો મુજબ તે ચિરંજીવી છે.

image source

દર મંગળવાર અને શનિવાર એ હનુમાનજીનો વિશેષ દિવસ હોય છે. બજરંગબલીના મંદિરમા દરરોજ લાખો ભક્તો પોતાની ઇચ્છાઓ પૂરી કરવા માટે આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ બજરંગબલીની પૂજા કરવાથી વ્યક્તિની કુંડળીમાં પેદા થયેલા તમામ અશુભ ગ્રહોની અસર આપોઆપ દૂર થઈ જાય છે.

આ ઉપરાંત પ્રભુ શનિએ પ્રભુ શ્રી બજરંગબલીને વચન આપ્યુ હતુ કે, જો કોઈ બજરંગબલીની પૂજા કરશે તો તેના પર શનિની દશા રહેશે નહીં. જો તમે શનિની અર્ધસતી સાડેસાતીથી પીડાઈ રહ્યા હોવ તો મંગળવારે બજરંગબલીની પૂજા કરો અને તેમને એક મીઠુ પાન અર્પણ કરો. જો મંગળ નબળો હોય તો મંગળવારે પાન અર્પણ કરીને તમારો મંગળ ઠીક થઈ શકે છે.

image source

બજરંગબલી એ અષ્ટ સિદ્ધિ ધરાવે છે એટલે જો તમે બજરંગબલીને મીઠુ પાન અર્પણ કરશો તો લક્ષ્મી માતા સદાય તમારાથી પ્રસન્ન રહેશે અને તમારા ઘરમા ક્યારેય પણ આર્થિક નાણાભીડની સમસ્યા સર્જાશે નહિ. આ દિવસે તમે સરળતાથી તેમને ખુશ કરી શકશો અને તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી શકો છો.

image source

મીઠા પાનથી પ્રભુ બજરંગબલી અત્યંત પ્રસન્ન થાય છે. મંગળવાર અને શનિવારના દિવસે પાન અર્પણ કરવાથી તમને ઇચ્છિત આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસે જે કોઈપણ ભકત પાન અર્પણ કરે છે તેને બજરંગબલીના વિશેષ આશીર્વાદ મળી રહે છે અને હનુમાનજી ભક્તોની દરેક ઈચ્છાઓને પણ પૂર્ણ કરે છે.

image source

નિયમ પ્રમાણે પૂજા કર્યા પછી કરો, “હે હનુમાનજી, આ એક મીઠુ પાન તમે ગ્રહણ કરો અને તમે અમારા જીવનને મીઠાશથી ભરી દો. જો તમે ફક્ત આટલુ બોલશો તો બજરંગલીની કૃપાથી તમારી દરેક સમસ્યા ખૂબ જ ઝડપથી દૂર થઈ જશે. આ પાનમા તમે કત્થા, ગુલકંદ, સૌફ, બુરા અને સુમન કતરી ઉમેરી શકો છો. આ પાન એકસમ તાજી, મીઠી અને રસદાર હોવી જોઈએ. ધ્યાન રાખો કે આ પાનમા લીંબુ, તમાકુ અને સોપારીનો ઉપયોગ ના કરવો.

Recent Posts

આજનું દૈનિક રાશિફળ: મેષ થી મીન સુધીની 12 રાશિઓ માટે રાશિફળ, 19 ડિસેમ્બર, 2025

મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More

3 weeks ago

विराट कोहली, रोहित शर्मा अगला वनडे मैच कब खेलेंगे? IND बनाम NZ सीरीज़ का शेड्यूल आ गया।

विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More

3 weeks ago

कभी खुशी कभी गम ने 24 साल पूरे किए: इस टाइमलेस फिल्म से बॉलीवुड के लिए रीवॉच वैल्यू के सबक

चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More

3 weeks ago

अमिताभ बच्चन और जया बच्चन से पेरेंटिंग के 6 सबक जिनसे हर अनुशासित माता-पिता सहमत होंगे।

जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More

3 weeks ago

सिलसिला से दो अनजाने: अमिताभ बच्चन-रेखा की 10 सदाबहार ऑन-स्क्रीन जोड़ि !

रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More

3 weeks ago