નવરાત્રી દરમિયાન આટલું કરશો તો કયારે પણ ધન નહી ખુટે

આપણા પ્રાચીન ગ્રંથોમાં એવા અનેક મંત્ર અને ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે કે જેને અમલમાં મુકવાથી જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય છે. પરંતુ આ ઉપાયો ત્યારે જ ફળ આપે છે જ્યારે તેને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવે.

image source

નવરાત્રિના આ દિવસો અત્યંત ચમત્કારી હોય છે. આ દિવસોમાં કરેલી પૂજા-અર્ચના તુરંત ફળ આપે છે. તો ચાલો સૌથી પહેલા જ જાણી લો કે નવરાત્રિમાં એવા કયા ઉપાયો કરવા જોઈએ જે ચમત્કારી સાબિત થાય અને જીવનની દશા બદલી શકે છે.

image source

1. નવરાત્રિમાં શુભ મુહૂર્તમાં ધતુરાના મૂળનો એક ટુકડો ઘરમાં લાવી તેની પૂજા કરી અને મંદિરમાં સ્થાપિત કરવો. આ ટુકડાની સ્થાપના કરતાં પહેલા મહાકાળી માતાના બીજમંત્ર ‘ક્રીં’નો 108 વખત જાપ કરવો.

image source

2. નવરાત્રિ દરમિયાન ઘરમાં કેળનું ઝાડ રોપવાથી પણ લાભ થાય છે. પહેલા નોરતાં પર ઘરમાં તેને રોપી અને નવ દિવસ સુધી તેમાં તાંબાના કળશથી જળ ચઢાવવું. ત્યારબાદ દર ગુરુવારે પાણીમાં થોડું કાચું દૂધ ઉમેરી અને કેળમાં ચઢાવવું. આર્થિક તંગીની સમસ્યા દૂર થઈ જશે.

image source

3. નવરાત્રિમાં તુલસીના છોડની પણ નિયમિત પૂજા કરવી. સવારે જળ ચઢાવવું અને સંધ્યા સમયે તુલસી નજીક ઘીનો દીવો કરવો. આ ઉપાયથી પણ ધનની તંગીની સમસ્યા દૂર થશે.

image source

4. નવરાત્રિ દરમિયાન કોઈપણ દિવસે શુભ ચોઘડિયામાં વડલાનું એક પાન તોડી તેને ઘરે લાવી શુદ્ધ જળથી સાફ કરી તેના પર હળદરથી સાથિયો કરી તેને તિજોરીમાં સ્થાપિત કરવું. આ પાન જ્યાં સુધી તિજોરીમાં હશે ત્યાં સુધી તિજોરી ખાલી નહીં થાય.

image source

દરિદ્રતાને દૂર કરશે યંત્ર પૂજા અને આ એક મંત્રનો જાપ

શું તમારી પાસે પણ ધન ટકતું નથી… ઘરમાં આવતું ધન અણધાર્યા ખર્ચામાં વપરાઈ જાય છે તો આ સ્થિતીને બદલવા માટે અને લક્ષ્મીને આકર્ષિત કરવા માટે મંત્ર શક્તિ શ્રેષ્ઠ ઉપાય છે.

image source

સૌથી પહેલા ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરવી. શ્રીયંત્ર ઘરમાં રવિપુષ્ય, ગુરુપુષ્ય જેવા શુભ મુહૂર્તમાં લાવવું. ખાસ ધ્યાન રાખવું કે યંત્ર ચાંદી, તાંબા અથવા ભોજપત્ર પર બનેલું હોવું જોઈએ. આ યંત્રની સ્થાપના મંત્ર જાપ કરીને કરવી. કારણ કે યંત્રની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ જ તેનાથી લાભ પ્રાપ્ત કરી શકાય છે.

image source

યંત્ર સ્થાપના બાદ નીચે આપેલા મંત્રનો જાપ કરવો. મંત્ર જાપ કરવા માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો અને મંત્રની 5 માળા કરવી.

મંત્ર

ॐ શ્રીં હ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં લીં શ્રીં ॐ મહાલક્ષ્મયે નમઃ

આ મંત્રનો જાપ શ્રીયંત્રની સામે બેસીને કરવો. શ્રીયંત્રની ઘરમાં સ્થાપના કરો ત્યારપછી દિવાળી, નવરાત્રી જેવા તહેવાર પર તેની વિશેષ પૂજા કરવી. આ યંત્ર પૂજા ઘરમાં શરૂ થશે ત્યારબાદ તમે અનુભવશો કે ઘરમાં સુખ-શાંતિ છવાયેલી રહેશે. નિયમિત રીતે ઉપરોક્ત મંત્રનો જાપ શરૂ કરવાથી દરિદ્રતા દૂર થશે અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહેશે. યંત્ર પૂજા મનોકામના પૂર્ણ કરનારી પણ છે. શ્રદ્ધા રાખી પૂજા અને મંત્રજાપ કરશો તો તેનું ફળ અચૂક મળશે.

Recent Posts

મેષ અને મિથુન રાશિ સહિત આ ચાર રાશિના લોકોને સારા સમાચાર મળી શકે છે, દૈનિક રાશિફળ વાંચો.

મેષ: આજનું રાશિફળ આજનો દિવસ ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો લાવશે. પ્રેમમાં રહેલા લોકો તેમના જીવનસાથીઓ સાથે… Read More

5 days ago

कैमरन ग्रीन से लेकर क्विंटन डी कॉक तक: IPL नीलामी 2026 में सबसे ज़्यादा बोली लगने वाले टॉप 5 खिलाड़ी

इंडियन प्रीमियर लीग (IPL 2026) की नीलामी की लिस्ट आखिरकार आ गई है। इसमें 350… Read More

5 days ago

आमिर खान, करीना कपूर खान, आर माधवन और शरमन जोशी 15 साल बाद फिर साथ आएंगे ?

'3 इडियट्स' ने 15 साल पहले मेनस्ट्रीम हिंदी सिनेमा को नया रूप दिया था और… Read More

5 days ago

આજ કા રાશિફળ 31 જુલાઈ: મહિનાનો આખરી દિવસ આ રાશિફળને સારો લાભ મળે છે, વાંચો દૈનિક રાશિફલ

મેષ (મેષ) સ્વભાવ: ઉત્સાહી રાશિ ભગવાન: મંગળ શુભ રંગ: લાલ આજે તમારા માટે આલસ્ય તેગકર… Read More

5 months ago