સામાન્ય માણસથી બાદશાહની ગાદી સુધી પહોંચનારો એ વ્યક્તિ, જે હતો 40 હજાર યોદ્ધાઓ બરાબર

વિશ્વમાં ઘણા યોદ્ધાઓ રહ્યા છે જેમના નામ ઇતિહાસમાં કાયમ માટે અમર બની ગયા છે. આવા જ યોદ્ધા હતા ફ્રાન્સના મહાન રાજા નેપોલિયન બોનાપાર્ટ. તેમણે વિશ્વના મોટા ભાગ પર શાસન કર્યું છે. બ્રિટનના મહાન લડવૈયા, 15ઓગસ્ટ 1769 માં કોર્સિકા ટાપુના અજાચીયોમાં જન્મેલા નેપોલીયન બોનાપાર્ટના વીશે બ્રિટેનના મહાન યોદ્ધા ડ્યૂક ઓફ વેલિંગ્ટને કહ્યું હતું કે, યુદ્ધના મેદાનમાં તે એકલો 40 હજાર લડવૈયાઓની બરાબર હતો.

image source

સામાન્ય માણસથી લઈને બાદશાહની ગાદી સુધીનો નેપોલિયનનો પ્રવાસ ખૂબ જ રસપ્રદ હતો. ચાલો જાણીએ નેપોલિયન બોનાપાર્ટ વિશે કેટલીક રસપ્રદ વાતો, જે તમે ભાગ્યે જ શાંભળી હશે.

નેપોલિયન બોનાપાર્ટેને વિશ્વના મહાન સેનાપતિઓમાં ગણવામાં આવે છે

image source

ઇતિહાસમાં નેપોલિયન બોનાપાર્ટેને વિશ્વના મહાન સેનાપતિઓમાં ગણવામાં આવે છે. તેમણે ફ્રાન્સમાં નવો કાયદો પણ લાગુ કર્યો, જેને નેપોલિયનનો કોડ કહેવામાં આવે છે. તેમની કાયદા સંહિતામાં સિવિલ લગ્ન અને છૂટાછેડાની પ્રથાને માન્યતા આપવામાં આવી હતી. તે સમયે આ એક મોટી વાત હતી.

24 વર્ષની ઉંમરે બ્રિગેડિયર જનરલ બનાવવામાં આવ્યો

image source

નેપોલિયન ખૂબ જ પૈસાદાર કુટુંબમાંથી નહોતો, પરંતુ તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, તેથી તેના માતાપિતાએ તેને ફક્ત નવ વર્ષની ઉંમરે ફ્રાન્સ મોકલ્યો હતો. તેમનો અભ્યાસ જુદા જુદા સ્થળોએ થયો અને સપ્ટેમ્બર 1785 માં તેણે ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી. પછીથી તે ફ્રેન્ચ લશ્કરમાં જોડાયો, જ્યાં તેને આર્ટિલરી રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટનન્ટનો રેન્ક મળ્યો. તમને જાણીને આશ્ચર્ય થશે કે નેપોલિયનને ફક્ત 24 વર્ષની ઉંમરે બ્રિગેડિયર જનરલ બનાવવામાં આવ્યો હતો.

તેણે પોતાને રાજા જાહેર કર્યો

image source

નેપોલિયને તેની બહાદુરી અને સમજદારીના કારણે ઘણી લડાઇ જીતી હતી. તેમણે સેનાપતિ તરીકે ફ્રાન્સની સૌથી શક્તિશાળી સૈના પણ તૈયાર કરી હતી, પરંતુ પાછળથી કેટલાક સંજોગો સર્જાયા કે તેમને ફ્રાન્સના બાદશાહનું પદ લેવું પડ્યું. 1804 માં પોપની હાજરીમાં તેણે પોતાને રાજા જાહેર કર્યો હતો.

બ્રિટિશરોએ તેને આર્સેનિક ઝેર આપીને તેની હત્યા કરી

image source

વર્ષ 1815 માં વોટરલૂની લડતમાં પરાજય પછી, બ્રિટિશરોએ નેપોલિયનને અંધ મહાસાગરના દૂર ટાપુ સેંટ હેલેનામાં કેદ કરી દીધો હતો. જ્યાં 6 વર્ષ બાદ તેનું મૃત્યુ થઈ ગયું. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે બ્રિટિશરોએ તેને આર્સેનિક ઝેર આપીને તેની હત્યા કરી હતી. વાસ્તવમાં, આર્સેનિકને ઝેરનો રાજા કહેવામાં આવે છે. આને કારણે, શરીરના ઘણા ભાગો કામ કરવાનું બંધ કરી દે છે અને આખરે વ્યક્તિ મરી જાય છે.

Recent Posts

આજનું દૈનિક રાશિફળ: મેષ થી મીન સુધીની 12 રાશિઓ માટે રાશિફળ, 19 ડિસેમ્બર, 2025

મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More

3 weeks ago

विराट कोहली, रोहित शर्मा अगला वनडे मैच कब खेलेंगे? IND बनाम NZ सीरीज़ का शेड्यूल आ गया।

विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More

3 weeks ago

कभी खुशी कभी गम ने 24 साल पूरे किए: इस टाइमलेस फिल्म से बॉलीवुड के लिए रीवॉच वैल्यू के सबक

चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More

3 weeks ago

अमिताभ बच्चन और जया बच्चन से पेरेंटिंग के 6 सबक जिनसे हर अनुशासित माता-पिता सहमत होंगे।

जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More

3 weeks ago

सिलसिला से दो अनजाने: अमिताभ बच्चन-रेखा की 10 सदाबहार ऑन-स्क्रीन जोड़ि !

रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More

3 weeks ago