ત્રણ અફેર પછી પણ લગ્ન નહતી કરી શકી પરવીન બાબી, શું તમને ખબર તેના આ રહસ્યમય મોત વિશે..

પરવીન બાબીએ આ પ્રખ્યાત અભિનેતા પર તેની જાનથી હત્યા કરવાનો આરોપ મૂક્યો હતો, તે બધાને મળતી ત્યારે રેકોર્ડર ઓન જ રાખતી હતી.

image source

આજે પણ લોકો બોલીવુડની સુંદર અને બોલ્ડ એક્ટ્રેસ પરવીન બાબીને યાદ કરે છે. પરવીને બોલિવૂડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તેમનું જીવન ઘણું રહસ્યમય રહ્યું હતું. હા, પરવીને તેની કારકિર્દીમાં ઘણું બધું હાંસલ કર્યું હતું, પરંતુ અંગત જીવન ખૂબ જ દુઃખ અને પીડાથી પસાર થયું હતું. એવું કહેવામાં આવે છે કે અભિનેત્રી પરવીન બાબીની સુંદરતાના ઘણા ચાહકો હતા પરંતુ વાસ્તવિક જીવનમાં કોઈ તેને અપનાવવા તૈયાર નહોતું.

હા, અને આને જ કારણે, તેને જીવનમાં એક ખતરનાક રોગે જકડી લીધી હતી અને અભિનેત્રીની હાલત પાગલ જેવી થઈ ગઈ. એટલું જ નહીં, આ અભિનેત્રીનું મોત પણ ઘણું દુઃખદાયક થયું હતું, જે સાંભળીને કોઈનું પણ આત્મા કંપી જાય. એવું કહેવામાં આવે છે કે પરવીન બાબી તેની સુપરહિટ કારકીર્દિ છોડીને અમેરિકાના એક બાબા પાસે ચાલી ગઈ હતી અને લગભગ 6 વર્ષ પછી તે ત્યાંથી પાછી આવી હતી.

image source

તે પછી કેટલાક લોકોએ કહ્યું હતું કે એ અભિનેત્રી સ્કિઝોફ્રેનિઆથી પીડાઈ રહી હતી, તો કેટલાક અન્ય લોકોએ કોઈ અલગ જ ડિસઓર્ડર વિશે જણાવ્યું હતું. પરંતુ દારૂના વ્યસને આ અભિનેત્રીની હાલત વધુ ખરાબ કરી હતી.

તમને જણાવી દઈએ કે પરવીનને અમિતાભ બચ્ચન સાથે 1974 માં આવેલી ફિલ્મ ‘મજબૂર’ સાથે સફળતા મળી હતી. આ પછી તેની સાથે ‘દીવાર’, ‘અમર અકબર એન્થોની’, ‘શાન’ અને ‘કાલિયા’ જેવી ફિલ્મ્સ આવી હતી. 1976 માં, પરવીન બાબી આઇકોનિક મેગેઝિન ટાઇમના કવર પર દર્શાવવામાં આવી હતી. ફિલ્મ કારકિર્દીમાં પરવીન બાબી પણ ફિલ્મ કેરિયરના પ્રેમમાં પડી ગઈ હતી. તેમજ પરવીન બાબી ડેની, કબીર બેદી અને મહેશ ભટ્ટના પ્રેમમાં ફસાયેલી હતી, પરંતુ અંગત જીવનમાં તે ક્યારેય પોતાનું ઘર વસાવી શકી નહોતી.

image source

તેમજ મહેશ ભટ્ટે પરવીન બાબી અને તેમના સંબંધો પર આધારીત આત્મકથાત્મક ફિલ્મ ‘અર્થ’ (1982) બનાવી હતી. જેના લેખક અને દિગ્દર્શક તેઓ પોતે જ હતા. ત્યારબાદ તેમણે તેમના અને પરવીન બાબી વચ્ચેના સંબંધોના તથ્યો પર આધારીત બીજી એક ફિલ્મ લમ્હે (2006) બનાવી, જેના લેખક અને દિગ્દર્શક પણ તેઓ પોતે જ હતા.

image source

અને હા હકીકતમાં, એક સમય હતો જ્યારે અમિતાભ બચ્ચન પર તેમજ બિલ ક્લિન્ટન પર પણ પરવીન બાબીએ તેની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. જી હા, એવું પણ કહેવામાં આવે છે કે તે પોતાના જીવન અને બધી મુશ્કેલીઓથી એટલી પરેશાન હતી કે તે જેને પણ મળતી તેની સાથે વાતચીત દરમ્યાન રેકોર્ડર ઓન જ રાખતી હતી. તેમજ એક સમયે, એવો સમય આવી ગયો કે તેની હાલત એટલી કથળવાની શરૂઆત થઈ કે તેણે જમવાનું પણ યોગ્ય રીતે લેતી નહોતી. તેને લાગતું હતું કે તેને મારવા માટે આ ભોજન બનાવવામાં આવ્યું છે. તે જેને પણ મળતી કે કોઈ સાથે મુલાકાત થતી તો તે તેને માટે એવું જ વિચારતી હતી કે તે તેમને મારી નાખવા માંગે છે. ત્યારબાદ થોડા સમય પછી તેનું દુ:ખદાયક મૃત્યુ નીપજ્યું હતું.

Recent Posts

આજનું દૈનિક રાશિફળ: મેષ થી મીન સુધીની 12 રાશિઓ માટે રાશિફળ, 19 ડિસેમ્બર, 2025

મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More

2 months ago

विराट कोहली, रोहित शर्मा अगला वनडे मैच कब खेलेंगे? IND बनाम NZ सीरीज़ का शेड्यूल आ गया।

विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More

2 months ago

कभी खुशी कभी गम ने 24 साल पूरे किए: इस टाइमलेस फिल्म से बॉलीवुड के लिए रीवॉच वैल्यू के सबक

चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More

2 months ago

अमिताभ बच्चन और जया बच्चन से पेरेंटिंग के 6 सबक जिनसे हर अनुशासित माता-पिता सहमत होंगे।

जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More

2 months ago

सिलसिला से दो अनजाने: अमिताभ बच्चन-रेखा की 10 सदाबहार ऑन-स्क्रीन जोड़ि !

रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More

2 months ago