જાણો આ મંદિર વિશે જે દર્શન આપ્યા પછી થઇ જાય છે ગાયબ

ભારતના ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં ભગવાન શિવનું એક એવું મંદિર છે જે જોતજોતા જ ગાયબ થઈ જાય છે અને ત્યાર બાદ એકાએક જ ફરીથી દેખાવા પણ લાગે છે. આ રહસ્યમય મંદિરની આ ખાસિયતના કારણે આ મંદિર દુનિયાભરમાં પ્રસિદ્ધ છે અને ભગવાન શિવના ભક્તો આ ઘટનાને પોતાની સગી આંખે જોવા માટે દોડતા આવે છે ચાલો જાણીએ આ મંદિર વિષે વિસ્તૃત રીતે.

image source

સ્તંભેશ્વર મહાદેવ મંદિર સમુદ્રમાં આવેલ છે. આ મંદિરનું નિર્માણ પોતાના તપોબળથી ભગવાન શિવના પુત્ર કાર્તિકેય દ્વારા કરવામાં આવ્યું હતું. આ રહસ્યમય મંદિરનું ગાયબ થઈ જવું કોઈ ચમત્કાર કરતા ઓછું નથી. એટલું જ નહી આ મંદિરનું ગાયબ થવું એક પ્રાકૃતિક ઘટનાનું પરિણામ છે. ખરેખરમાં દિવસના સમયે આ મંદિર ઓછામાં ઓછું બે વાર સમુદ્રના પાણીનું સ્તર એટલું બધું વધી જાય છે કે, આ મંદિર સંપૂર્ણ રીતે સમુદ્રમાં ડૂબી જાય છે.

image soucre

ત્યાર પછી જ થોડાક સમયમાં જ સમુદ્રના પાણીનું જળ સ્તર નીચું થાય છે અને મંદિર ફરીથી દેખાવા લાગે છે. આ ઘટના દરરોજ સવારના સમયે અને સાંજના સમયે આ બનાવ બને છે. ભગવાન શિવના ભક્તો આ ઘટનાને ભગવાન શિવનો અભિષેક કરવામાં આવ્યું હોવાનું જણાવે છે. ભક્તો સમુદ્રના કિનારેથી જ આ દ્રશ્યને જોવે છે.

મંદિરના નિર્માણ સાથે જોડાયેલ લોકકથા.

image source

આ મંદિરના નિર્માણ સાથે જોડાયેલ કથા સ્કંદ પુરાણમાં મળી આવે છે. કથામાં જણાવ્યા મુજબ, રાક્ષસ તાડકાસુરએ કઠોર તપસ્યા કરીને પોતાના તપોબળથી ભગવાન શિવજી પાસેથી આ આશીર્વાદ પ્રાપ્ત કરે છે કે, તેમની મૃત્યુ ત્યારે જ સંભવ છે, જયારે ભગવાન શિવના પુત્ર તેમની હત્યા કરે. ભગવાન શિવ તાડકાસૂરને આ વરદાન આપી દે છે. આ આશીર્વાદ મળતાની સાથે જ તાડકાસુરએ આખા બ્રહ્માંડમાં ઉત્પાત મચાવવાનું શરુ કરી દે છે.

image source

ત્યાં જ બીજી બાજુ ભગવાન શિવ અને માતા પાર્વતીના તેજથી ઉત્પન્ન થયેલ કાર્તિકેયનું પાલન- પોષણ કૃતિકાઓ દ્વારા કરવામાં આવ્યું હતું તાડકાસુરના ઉત્પાતથી પૃથ્વીને મુક્તિ અપાવવા માટે બાળરૂપ કાર્તિકેય દ્વારા તાડકાસુરનો વધ કરી દેવામાં આવ્યો. પરંતુ જયારે કાર્તિકેયને જાણ થાય છે કે, તાડકાસુર ભગવાન શિવનો ભક્ત હતા, આ જાણીને કાર્તિકેય વ્યથિત થઈ જાય છે. ત્યારે દેવતાઓના માર્ગદર્શનથી તેમણે મહીસાગર સંગમ તીર્થમાં વિશ્વનંદક સ્તંભની સ્થાપના કરવામાં આવી. આ જ સ્તંભ આજે સ્તંભેશ્વર મંદિરના નામથી પ્રસિદ્ધ છે.
કેવી રીતે અહિયાં પહોચી શકાય છે?

સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાત રાજ્યના વડોદરા શહેરથી અંદાજીત ૪૦ કિલોમીટરના અંતરે આવેલ જંબુસર તાલુકામાં આવેલ છે. આ એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે, આપ અહિયાં રસ્તાથી, રેલ્વે અને હવાઈ માર્ગથી પણ પહોચી શકો છો.

Recent Posts

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

7 days ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

7 days ago

રાશિફળ ૧૨ જૂન: વૃશ્ચિક, ધનુ અને મકર રાશિ માટે આવકના નવા રસ્તા ખુલશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More

1 week ago

WTC ફાઇનલ પ્રાઇઝ મની: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વિજેતા પર પૈસાનો વરસાદ થશે, તેને IPL વિજેતા કરતા વધુ રકમ મળશે

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More

1 week ago

અમિતાભ બચ્ચન: યુઝરે કહ્યું- ‘સૂઈ જાઓ, તમે વૃદ્ધ થઈ છો’, બિગ બીએ આપ્યો યોગ્ય જવાબ !!

બિગ બી પોતાના ટ્વીટને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. હવે એક ટ્રોલરને આપેલો તેમનો જવાબ… Read More

1 week ago

WTC ફાઇનલ: જો ફાઇનલ ડ્રો થાય તો કોણ વિજેતા બનશે? જાણો ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં કયા બોલનો ઉપયોગ થશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ​​ની ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમો લંડનના… Read More

1 week ago