સંબંધોમાં રિસામણા અને મનામણા તો હોવા જ જોઈએ પણ એટલા પણ નહિ કે એકબીજાથી દૂર થઇ જાવ…

પતિ-પત્નીના સંબંધોમાં પ્રેમની સાથે-સાથે થોડી બોલાચાલી થવી પણ ખૂબ જ જરૂરી છે. પતિ-પત્ની વચ્ચે જો તકરાર ના થાય તો એ સંબંધો કંઇ જ કામના નથી એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. પાર્ટનરની વચ્ચે જેટલા ઝઘડા થાય તેટલા જ તેમની વચ્ચેના પ્રેમના સંબંધો મજબૂત થાય છે. જો કે ઘણા કપલ વચ્ચે બહુ સારી અન્ડરસ્ટેન્ડિંગ હોય છે તો ઘણા કપલ વચ્ચે એટલું સારુ ટ્યુનિંગ હોતુ નથી.

image source

આમ, દરેક કપલ વચ્ચે બોલાચાલી થવી એ એક સામાન્ય બાબત છે પરંતુ તે ઝઘડો વધુ પ્રમાણમાં વધી જાય તે બાબત પર પણ ખાસ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. પતિ અને પત્નીમાંથી એક વ્યક્તિ જો વધારે સમજદાર હોય તો લાઇફ એન્જોય કરવાની મજા જ કંઇક અલગ આવતી હોય છે. આમ, જો તમે તમારા પતિને વશમાં રાખવા ઇચ્છતા હોવ તો આ ટિપ્સ તમે પણ આજથી ફોલો કરો..

મેણાં-ટોણાં નહિં, પ્રેમથી લાવો કોઇ પણ વાતનો ઉકેલ

image source

પિયર કે સાસરીમાં જો કોઇ બોલાચાલી થાય તો તેના માટે તમારા પતિને જવાબદાર ગણશો નહિં. કારણકે ઘણી પત્નીઓની આદત એવી હોય છે કે, તેઓના સાસરીમાં તેમજ પિયરમાં જો કોઇ પણ પ્રકારની બોલાચાલી થાય તો તેનો સીધો જ આક્ષેપ તે તેમના પતિ પર લગાવતા હોય છે, જેથી કરીને પતિ ખૂબ જ ગુસ્સે થઇ જાય છે અને તેમનો વાંક ના હોવાને કારણે તેમના મનમાં દુ:ખ થાય છે. જો કે આવું વારંવાર થવાને કારણે પતિનો સ્વભાવ પણ ધીરે-ધીરે ગુસ્સાવાળો થઇ જાય છે.

શક કરવાથી થાય છે ઝઘડાઓ

image source

પત્નીને હંમેશા એ વાતનો ડર રહેતો હોય છે ક્યાંક તેમનો પતિ તેને દગો ના આપે. જો કે નાની-નાની બાબતોમાં શક કરવાથી પતિ-પત્ની વચ્ચે તકરાર થવા લાગે છે. આમ, શક એ બહુ જ ખરાબ વસ્તુ છે. ઘણા કપલ એવા પણ હોય છે કે, જેઓ એકબીજા પર વધુ શક કરવાને કારણે તેમની વાત ડાઇવોર્સ સુધી પહોંચી જાય છે. જો કે તમારી આ શક કરવાની બાબત પર પતિનો સ્વભાવ ચીડિયો અને ગુસ્સાવાળો થઇ જાય છે. આ માટે જરૂરી છે કે, તમે તમારા પતિ પર શક ના કરો અને તમે તેમની પર વિશ્વાસ રાખો. કહેવાય છે કે, વિશ્વાસથી માણસ કોઇ પણ વાતને જીતી શકે છે.

કામની વાતને લઇને રોક-ટોક ના કરો

image source

ઘણી પત્નીઓ કામની બાબતમાં તેમના પતિ સાથે રોક-ટોક તેમજ બોલાચાલી કરતી હોય છે. આમ, જો તમને પણ આવી આદત છે તો તમારે એ સુધારવાની જરૂર છે કારણકે જો તમે વારંવાર કોઇ પણ વ્યક્તિને રોક-ટોક કરો છો તો તેમને ગમતું નથી અને પછી તેઓ ગુસ્સે થઇ જાય છે. પતિ આખો દિવસ નોકરી, ધંધાને કામે બહાર હોય અને પછી તે ઘરે આવે ત્યારે જો પત્ની કામની બાબતમાં રોક-ટોક કરે તો સ્વભાવિક વાત છે કે, કોઇ પણ પતિ ગુસ્સે થઇ જાય. આમ, ક્યારે પણ કોઇ પણ પત્નીએ કામની બાબતમાં પતિ સાથે માથાકૂટ કરવી જોઇએ નહિં.

Recent Posts

આજ કા રાશિફળ 31 જુલાઈ: મહિનાનો આખરી દિવસ આ રાશિફળને સારો લાભ મળે છે, વાંચો દૈનિક રાશિફલ

મેષ (મેષ) સ્વભાવ: ઉત્સાહી રાશિ ભગવાન: મંગળ શુભ રંગ: લાલ આજે તમારા માટે આલસ્ય તેગકર… Read More

4 weeks ago

આજનું રાશિફળ ૧૯ જુલાઈ: આ ચાર રાશિના જાતકોના સુખ-સુવિધાઓમાં વધારો થશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિ સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે સુખ-સુવિધાઓમાં વધારો… Read More

1 month ago

રાશિફળ ૧૧ જુલાઈ: વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોને કારકિર્દી અને વ્યવસાયમાં સફળતાની પ્રબળ શક્યતાઓ છે,

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More

2 months ago

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી: એકતા કપૂર 25 વર્ષ પછી શો પાછો લાવવા માંગતી ન હતી, તેણે પોતે જ કહ્યું કારણ

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More

2 months ago

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

3 months ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

3 months ago