મુઘલોને હરાવનાર બહાદુર યોદ્ધા, જેને પૂર્વોત્તરના ‘શિવાજી’ કહેવામાં આવે છે.

17 મી સદીના એક યોદ્ધા લચિત બોરફુકન જેને “ચાઉ લસિત ફુકનલુંગ” ના નામથી ઓળખવામાં આવે છે. ઇતિહાસમાં તેને પૂર્વોત્તર ભારતના શિવાજી પણ કહેવાય છે. તેઓ યુદ્ધકલામા પારંગત હતા અને તેમણે મુગલ સામ્રાજ્ય સામે પણ નિર્ણાયક લડાઈ લડી હતી જેને કારણે તેને આજે પણ યાદ કરવામાં આવે છે. જો કે આ ભારતીયઇ યોદ્ધાનું કોઈ ચિત્ર ઇતિહાસમાં નોંધાયેલું નથી પરંતુ કહેવાય છે કે તેનો ચેહરો પહોળો હતો અને પૂર્ણિમાના ચંદ્ર જેવો દેખાતો હતો. ઇતિહાસમાં નોંધાયેલા તેઓના કારનામા વિષે થોડી વિસ્તૃત વાત કરીએ.

image socure

અસલમાં લચિત બોરફુકન અસમના અહોમ સામ્રાજ્યના એક સેનાપતિ હતા. તેમના સમયમાં જયારે મોટા મોટા સામ્રાજ્યો અને રાજાઓએ પણ મુગલ સામ્રાજ્ય સામે ઘૂંટણિયા ટેકવી દીધા હતા ત્યારે આ સેનાપતિએ 1667 ઈસ્વીમાં મુગલ સામ્રાજ્યના સમ્રાટ ઓરંગઝેબને પડકાર ફેંક્યો હતો અને મુગલ સેનાને હરાવી પણ હતી.

image socure

1671 ઈસ્વીમાં મુગલ સામ્રાજ્ય અને અહોમ સામ્રાજ્ય વચ્ચે લડાઈ થઇ હતી અને આ લડાઈ ઇતિહાસમાં “સરાઈઘાટ યુદ્ધ” ના નામથી નોંધાઈ હતી. લડાઈનું મુખ્ય કારણ એ હતું કે લચિત સામ્રાજ્યએ ગુવાહાટી પર ફરીથી પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું અને હવે ફરી એક વખત મુગલ તેના પર કબ્જો કરવા માંગતા હતા. આ માટે મુગલ સામ્રાજ્યએ અહોમ સામ્રાજ્ય સામે યુદ્ધ કરી નાખ્યું હતું. અને પોતાની સેનામાં 30000 સૈનિકો, 15000 તીરંદાજ, 18000 ઘોડેસવારો, 5000 બંદુકચી અને 1000 થી વધુ તોપો અને હોડીઓનો કાફલો લઇ ચડાઈ કરી હતી. તેમ છતાં લચિત સેનાપતિ સામે તેઓની રણનીતિ સફળ ન રહી અને તેને હારનો સામનો કરવો પડ્યો.

image socure

કહેવાય છે કે લચિત બોરફુકનએ ફક્ત પોતાની સેના મુગલ સામ્રાજ્યને હરાવી દે એ માટે થઈને પોતાના જ મામાની હત્યા કરી નાખી હતી. તેની પાછળનું કારણ પણ જાણવા જેવું છે. અસલમાં લચિત બોરકૂકને પોતાના સૈનિકોને એક જ રાત્રિમાં દીવાલ બનાવવાનો આદેશ આપ્યો હતો અને આ કામ પર દેખરેખ રાખવા માટે તેણે પોતાના મામાને ફરજ સોંપી હતી. બીમાર હોવા છતાં લચિત જયારે આ કામની તપાસ કરવા પહોંચ્યા તો તેમણે જોયું કે બધા સૈનિકો નિરાશા અને હતાશ થઈને બેઠા હતા કારણ કે તેઓ એવું માનતા હતા કે સૂર્યોદય પહેલા આ દિવાલનું કામ કરી જ નહિ શકે.

આ દ્રશ્ય જોઈ લચિતને તેના મામા પર ખુબ ગુસ્સો આવ્યો કારણ કે તેઓ સૈનિકોને કામ કરવાનો ઉત્સાહ ભરવામાં નિષ્ફળ નીવડ્યા હતા. ગુસ્સામાં ને ગુસ્સામાં લાંચિતે પોતાની તલવાર કાઢી અને એક જ ઝાટકે પોતાના મામાનું ગળું ધડથી અલગ કરી નાખ્યું. બાદમાં પોતે જ સૈનિકોમાં ઉત્સાહનો એવો સંચાર કર્યો કે તેઓએ સૂર્યોદય પહેલા જ દીવાલ બનાવી નાખી. અને તેના કારણે જ તેઓને યુદ્ધમાં વિજય મળ્યો.

image socure

લચિત બોરફુકનના પરાક્રમ અને સરાઈઘાટ યુદ્ધમાં અસમિયા સેનાના વિજયને યાદ રાખવા માટે અસમમાં દર વર્ષે 24 નવેમ્બરે લચિત દિવસ મનાવવામાં આવે છે. લચિતના નામ પરથી જ નેશનલ ડિફેન્સ એકેડમીમાં બેસ્ટ કેડેટ મેડલ પણ આપવામાં આવે છે જેને લચિત મેડલ કહેવામાં આવે છે.

Recent Posts

રાશિફળ ૧૧ જુલાઈ: વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોને કારકિર્દી અને વ્યવસાયમાં સફળતાની પ્રબળ શક્યતાઓ છે,

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More

1 day ago

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી: એકતા કપૂર 25 વર્ષ પછી શો પાછો લાવવા માંગતી ન હતી, તેણે પોતે જ કહ્યું કારણ

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More

1 day ago

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

4 weeks ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

4 weeks ago

રાશિફળ ૧૨ જૂન: વૃશ્ચિક, ધનુ અને મકર રાશિ માટે આવકના નવા રસ્તા ખુલશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More

1 month ago

WTC ફાઇનલ પ્રાઇઝ મની: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વિજેતા પર પૈસાનો વરસાદ થશે, તેને IPL વિજેતા કરતા વધુ રકમ મળશે

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More

1 month ago