સ્ત્રીઓ કેમ નથી વધેરતી શ્રીફળ, જાણો આ પાછળનું કારણ તમે પણ

હિન્દૂ ધર્મમાં બધા જ શુભ કાર્યમાં શ્રીફળનો ઉપયોગ કરવામાં આવે છે. ગૃહ પ્રવેશ હોય, લગ્ન હોય કે પછી અન્ય શુભ કાર્યોમાં કળશ પર શ્રીફળ રાખવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં કોઈ પણ નવું કાર્ય શરૂ કરતાં પહેલાં શ્રીફળ વધેરવામાં આવે છે.

image source

શ્રીફળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે શ્રીફળ ખૂબ જ ઊંચાઈ પર થતા હોવાના લીધે અને એની ઉપરનું પડ ખૂબ જ સખત હોવાના કારણે આ ફળને કોઈ પશુ કે પક્ષી એઠું નથી કરી શકતું. એટલે એનો ઉપયોગ પૂજા અનુષ્ઠાનમાં કરવામાં આવે છે.

તમે એ વાત પર ધ્યાન આપ્યું હશે કે શ્રીફળ ફક્ત પુરુષો જ વધેરે છે, સ્ત્રીઓને શ્રીફળ વધેરવાની ના પાડવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે સ્ત્રીઓ કેમ શ્રીફળ નથી વધેરતી? તો ચાલો જાણી લઈએ.

image source

આ કારણસર સ્ત્રીઓ નથી વધેરતી શ્રીફળ.

શ્રીફળ વધેરવું એ બલીનું પ્રતીક માનવામાં આવે છે. અને પરંપરાગત રીતે શ્રીફળને નવી સૃષ્ટિના સર્જનનું બીજ માનવામાં આવે છે અને એને પ્રજનન સાથે જોડીને જોવામાં આવે છે. સ્ત્રીઓને જ ઈશ્વરે સંતાનને જન્મ આપવાની શક્તિ આપી છે એટલે સ્ત્રીઓને ઉત્પતિના કારક માનવામાં આવે છે, આ જ કારણ છે કે સ્ત્રીઓ શ્રીફળ નથી વધેરી શકતી. જાણો કેમ વધેરવામાં આવે છે શ્રીફળ.

image source

નવા કાર્યની શરૂઆત કરતા પહેલા શ્રીફળ વધેરવા પાછળ આવી છે માન્યતા.

હિન્દૂ ધર્મમાં જ્યારે કોઈ નવું વાહન ખરીદે છે કે વેપાર વગેરે શરૂ કરે છે તો શ્રીફળ વધેરવામાં આવે છે. એ પાછળ તર્ક છે કે શ્રીફળની અંદરનું પાણી ખૂબ જ પવિત્ર હોય છે.

image source

જ્યારે આપણે શ્રીફળ વધેરીએ છીએ તો એનું પાણી ચારે બાજુ વિખરાઈ જાય છે, જેનાથી બધી જ નકારાત્મકતા સમાપ્ત થઈ જાય છે. એ સિવાય વિશેષ મનોકામના પૂર્તિ માટે પણ મંદિરમાં શ્રીફળ વધેરવામાં આવે છે.

શ્રીફળનું મહત્વ.

image source

પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર અવતાર લીધો તો એ એમની સાથે ત્રણ વસ્તુઓ- લક્ષ્મી, શ્રીફળનું વૃક્ષ અને કામધેનુ લઈને આવ્યા હતા. આ ત્રણેય વસ્તુઓને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે.

image source

શ્રીફળમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓનો વાસ માનવામાં આવે છે. શ્રીફળ પર રહેલા ત્રણ ટપકા ભગવાન શિવના ત્રણ નેત્રોનું પ્રતીક માનવામાં આવે છે. શ્રીફળમાં શ્રીનો અર્થ થાય છે લક્ષ્મી. એટલે શ્રીફળ માતા લક્ષ્મીને પ્રિય હોય છે. દેવતાઓને પણ શ્રીફળ અર્પિત કરવાથી ધનની સમસ્યા નથી રહેતી.

Recent Posts

આજ કા રાશિફળ 31 જુલાઈ: મહિનાનો આખરી દિવસ આ રાશિફળને સારો લાભ મળે છે, વાંચો દૈનિક રાશિફલ

મેષ (મેષ) સ્વભાવ: ઉત્સાહી રાશિ ભગવાન: મંગળ શુભ રંગ: લાલ આજે તમારા માટે આલસ્ય તેગકર… Read More

1 month ago

આજનું રાશિફળ ૧૯ જુલાઈ: આ ચાર રાશિના જાતકોના સુખ-સુવિધાઓમાં વધારો થશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિ સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે સુખ-સુવિધાઓમાં વધારો… Read More

2 months ago

રાશિફળ ૧૧ જુલાઈ: વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોને કારકિર્દી અને વ્યવસાયમાં સફળતાની પ્રબળ શક્યતાઓ છે,

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More

2 months ago

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી: એકતા કપૂર 25 વર્ષ પછી શો પાછો લાવવા માંગતી ન હતી, તેણે પોતે જ કહ્યું કારણ

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More

2 months ago

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

3 months ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

3 months ago