સ્ત્રીઓ કેમ નથી વધેરતી શ્રીફળ, જાણો આ પાછળનું કારણ તમે પણ

હિન્દૂ ધર્મમાં બધા જ શુભ કાર્યમાં શ્રીફળનો ઉપયોગ કરવામાં આવે છે. ગૃહ પ્રવેશ હોય, લગ્ન હોય કે પછી અન્ય શુભ કાર્યોમાં કળશ પર શ્રીફળ રાખવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં કોઈ પણ નવું કાર્ય શરૂ કરતાં પહેલાં શ્રીફળ વધેરવામાં આવે છે.

image source

શ્રીફળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે શ્રીફળ ખૂબ જ ઊંચાઈ પર થતા હોવાના લીધે અને એની ઉપરનું પડ ખૂબ જ સખત હોવાના કારણે આ ફળને કોઈ પશુ કે પક્ષી એઠું નથી કરી શકતું. એટલે એનો ઉપયોગ પૂજા અનુષ્ઠાનમાં કરવામાં આવે છે.

તમે એ વાત પર ધ્યાન આપ્યું હશે કે શ્રીફળ ફક્ત પુરુષો જ વધેરે છે, સ્ત્રીઓને શ્રીફળ વધેરવાની ના પાડવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે સ્ત્રીઓ કેમ શ્રીફળ નથી વધેરતી? તો ચાલો જાણી લઈએ.

image source

આ કારણસર સ્ત્રીઓ નથી વધેરતી શ્રીફળ.

શ્રીફળ વધેરવું એ બલીનું પ્રતીક માનવામાં આવે છે. અને પરંપરાગત રીતે શ્રીફળને નવી સૃષ્ટિના સર્જનનું બીજ માનવામાં આવે છે અને એને પ્રજનન સાથે જોડીને જોવામાં આવે છે. સ્ત્રીઓને જ ઈશ્વરે સંતાનને જન્મ આપવાની શક્તિ આપી છે એટલે સ્ત્રીઓને ઉત્પતિના કારક માનવામાં આવે છે, આ જ કારણ છે કે સ્ત્રીઓ શ્રીફળ નથી વધેરી શકતી. જાણો કેમ વધેરવામાં આવે છે શ્રીફળ.

image source

નવા કાર્યની શરૂઆત કરતા પહેલા શ્રીફળ વધેરવા પાછળ આવી છે માન્યતા.

હિન્દૂ ધર્મમાં જ્યારે કોઈ નવું વાહન ખરીદે છે કે વેપાર વગેરે શરૂ કરે છે તો શ્રીફળ વધેરવામાં આવે છે. એ પાછળ તર્ક છે કે શ્રીફળની અંદરનું પાણી ખૂબ જ પવિત્ર હોય છે.

image source

જ્યારે આપણે શ્રીફળ વધેરીએ છીએ તો એનું પાણી ચારે બાજુ વિખરાઈ જાય છે, જેનાથી બધી જ નકારાત્મકતા સમાપ્ત થઈ જાય છે. એ સિવાય વિશેષ મનોકામના પૂર્તિ માટે પણ મંદિરમાં શ્રીફળ વધેરવામાં આવે છે.

શ્રીફળનું મહત્વ.

image source

પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર અવતાર લીધો તો એ એમની સાથે ત્રણ વસ્તુઓ- લક્ષ્મી, શ્રીફળનું વૃક્ષ અને કામધેનુ લઈને આવ્યા હતા. આ ત્રણેય વસ્તુઓને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે.

image source

શ્રીફળમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓનો વાસ માનવામાં આવે છે. શ્રીફળ પર રહેલા ત્રણ ટપકા ભગવાન શિવના ત્રણ નેત્રોનું પ્રતીક માનવામાં આવે છે. શ્રીફળમાં શ્રીનો અર્થ થાય છે લક્ષ્મી. એટલે શ્રીફળ માતા લક્ષ્મીને પ્રિય હોય છે. દેવતાઓને પણ શ્રીફળ અર્પિત કરવાથી ધનની સમસ્યા નથી રહેતી.

Recent Posts

આજનું દૈનિક રાશિફળ: મેષ થી મીન સુધીની 12 રાશિઓ માટે રાશિફળ, 19 ડિસેમ્બર, 2025

મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More

3 weeks ago

विराट कोहली, रोहित शर्मा अगला वनडे मैच कब खेलेंगे? IND बनाम NZ सीरीज़ का शेड्यूल आ गया।

विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More

3 weeks ago

कभी खुशी कभी गम ने 24 साल पूरे किए: इस टाइमलेस फिल्म से बॉलीवुड के लिए रीवॉच वैल्यू के सबक

चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More

3 weeks ago

अमिताभ बच्चन और जया बच्चन से पेरेंटिंग के 6 सबक जिनसे हर अनुशासित माता-पिता सहमत होंगे।

जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More

3 weeks ago

सिलसिला से दो अनजाने: अमिताभ बच्चन-रेखा की 10 सदाबहार ऑन-स्क्रीन जोड़ि !

रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More

3 weeks ago