એક ગામ જ્યાં લોકો આજે પણ જીવે છે વીસમી સદીમાં, જાણો કેમ લોકો કરે છે આવું…

આમ તો આગ્રા સમગ્ર વિશ્વમાં તાજમહલ માટે ફેમસ છે. પરંતુ આ શહેરથી પાસે આવેલ એક નાનકડું ગામ તેની એક અજીબોગરીબ માન્યતાને કારણે ફેમસ થઈ ગયું છે. જ્યાં આખું ભારત ચાનું દિવાનું છે. ભારતની દરેક ગલી, નુક્કડ, ચાર રસ્તા, હાઈવે પર ચાની દુકાનો મળી જાય છે. પરંતુ આ ગામની વાત કરીએ તો અહીં ક્યાંય ચાની દુકાન નથી. આગ્રાથી 2 કિલોમીટર દૂર સ્થિત આ ગામનું નામ છે કુઆ ખેડા. અહીં તમને એક પણ ચાની દુકાન નહિ મળે. આ પાછળનું કારણ જાણીને તમને લાગશે કે આ ગામ હજી પણ વીસમી સદીમાં જીવે છે.

હકીકતમાં, આ ગામમાં દૂધ વેચવું પાપ છે. તેમનું માનવું છે કે, જો કોઈ દૂધ વેચશે, તો સમગ્ર ગામમાં મુસીબતોનો પહાડ તૂટી પડશે. સાથે જ તે શખ્સની સાથે કંઈ પણ અનહોની થશે. આ માન્યતાને પગલે છેલ્લા અનેક દાયકાથી અહીં દૂધ વેચવા પર પ્રતિબંધ છે. અને જો અહીં દૂધ નહિ મળે, તો અહીં ચાની દુકાન કેવી રીતે ચાલશે. કમાલની વાત તો એ છે કે, અહીં દરેક ઘરમાં તમને ગાય-ભેંસ બાંધેલી મળશે. મતલબ કે દૂધનું ઉત્પાદન તો થાય છે, પંરતુ તેનો વ્યવસાય કરવામાં નથી આવતો.

આ ગામમાં દૂધ વેચાતુ નથી. દૂધ તો દરેક ઘરમાં હોય છે, તેથી જે દૂધ બચી જાય છે, તેને બીજા ગામના લોકોને રૂપિયા લીધા વગર દાનમાં આપી દેવાય છે. આ વિશે ગામના પ્રધાન રાજેન્દ્ર સિંહનું કહેવું છે કે, આવું ગામમાં અનેક વર્ષોથી ચાલી આવી રહ્યું છે. જો કોઈ પણ આ નિયમને તોડે છે, તો તેની સાથે કંઈ પણ અનહોની થઈ જાય છે.

ભલે તમે આ બાબતને અંધવિશ્વાસનું નામ આપો, પણ સત્ય એ છે કે ગામના લોકોના આ નિયમને કારણે ગામમાં ચાની એકપણ દુકાન નથી.

જાટવ સમુદાયની બહુમતીવાળા આ ગામમાં વિશ્વ દૂધ દિવસ પર લોકો એકબીજાને દૂધ વહેંચીને સેલિબ્રેટ કરે છે. આ ગામમાં લગભગ 9000 લોકો રહે છે, અને લગભગ દરેક ઘરમાં એક ગાય છે. ગામના લોકોના જણાવ્યા અનુસાર, અહીં એક દિવસમાં દૂધ ઉત્પાદન 30,000 લિટરની આસપાસ થાય છે. કુઆ ખેડા ગામમાં માન્યતા છે કે, જેણે પણ દૂધ વેચવાનો પ્રયાસ કર્યો છે, તેને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અનેકવાર તો ગાય મરી જવાની પણ ઘટના બની છે.

આજુબાજુના ગામના લોકો કરે છે મોટી કમાણી

આ ગામની આસપાસના ગામના લોકો ડેરી બિઝનેસ કરીને સારી કમાણી કરી લે છે. તે ગામના લોકો દૂધ અને અન્ય પ્રોડક્ટ વેચે છે. તો બીજી તરફ કુઆ ખેડાના રહેવાસીઓ દૂધ દાન કરીને પોતે ગર્વની લાગણી અનુભવે છે અન કહે છે કે, દૂધ વેચવા માટે અમે બહારના લોકોને ક્યારેય ના પાડતા નથી.

Recent Posts

આજ કા રાશિફળ 31 જુલાઈ: મહિનાનો આખરી દિવસ આ રાશિફળને સારો લાભ મળે છે, વાંચો દૈનિક રાશિફલ

મેષ (મેષ) સ્વભાવ: ઉત્સાહી રાશિ ભગવાન: મંગળ શુભ રંગ: લાલ આજે તમારા માટે આલસ્ય તેગકર… Read More

4 weeks ago

આજનું રાશિફળ ૧૯ જુલાઈ: આ ચાર રાશિના જાતકોના સુખ-સુવિધાઓમાં વધારો થશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિ સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે સુખ-સુવિધાઓમાં વધારો… Read More

1 month ago

રાશિફળ ૧૧ જુલાઈ: વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોને કારકિર્દી અને વ્યવસાયમાં સફળતાની પ્રબળ શક્યતાઓ છે,

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More

2 months ago

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી: એકતા કપૂર 25 વર્ષ પછી શો પાછો લાવવા માંગતી ન હતી, તેણે પોતે જ કહ્યું કારણ

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More

2 months ago

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

3 months ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

3 months ago