બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની એક્ટિંગના લોકો કાયલ છે. અમિતાભ બચ્ચનની એક ઝલકને માટે લોકો એટલે કે તેમના ફેન્સ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. પણ શું તમને ખબર છે કે મહાનાયક અમિતાભ બચ્ચન હનુમાનજીના મોટા ભક્ત છે. પ્રયાગરાજના કોતવાલ ગણાતા અને સંગમ તટ પર સૂતેલા શ્રી રામ ભક્ત હનુમાન મંદિરમાં તેઓ દર વર્ષે અરદાસ લગાવે છે. અહીં આપને જણાવી દઈએ કે હનુમાનજીમાં બિગ બીની ખાસ આસ્થા ધરાવે છે. દર વર્ષે તેમના પ્રતિનિધિ મુંબઈના પ્રયાગરાજ આવે છે અને આ મંદિરમાં ખાસ પૂજા અર્ચના કરાવે છે. આ રીતે બીગ બી આ હનુમાન મંદિરમાં પોતાની હાજરી નોંધાવે છે. આ મંદિરથી અમિતાભનું બાળપણ જોડાયેલું છે. પિતા ડો. હરિવંશરાય બચ્ચનની સાથે બાળપણમાં તેઓ આ મંદિરમાં દર શનિવાર અને મંગળવારે દર્શનાર્થે આવતા. સાથે તેમના નાના ભાઈ અજિતાભ પણ રહેતા.
પિતા હરિવંશરાય બચ્ચને બિગ બીની સલામતી માટે અહીં સૌ પહેલા કરાવી હતી પૂજા
વર્ષ 1982માં કુલી ફિલ્મના શૂટિંગમાં અમિતાભ ઘાયલ થયા હતા અને સાથે તેમની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી. બિગ બીના પિતા ડો. હરિવંશરાય બચ્ચને આ મંદિરમાં પૂજા પાઠ કરાવ્યા, યજ્ઞની પૂર્ણાહૂતિના દિવસે હવન કરતી સમયે પિતાને ખ્યાલ આવ્યો કે હવે અમિતાભની તબિયત સારી છે. આ ઘટના બાદથી અમિતાભ આ મંદિર અને બજરંગબલીની પ્રતિ આસ્થા વધી. સાથે તેઓ દર વર્ષે અહીં પોતાની હાજરી નોંધાવે છે અને સાથે જ આ મંદિરમાં અમિતાભના ભાઈ અજિતાભે 51 કિલોનો પિત્તળનો ઘંટ પણ લગાડાવ્યો છે.
પ્રયાગરાજનું લેટે હનુમાન મંદિર
હનુમાનજીનું આ પ્રાચીન મંદિર ત્રિવેણી સંગમની નજીક કિલાના કિનારે સ્થિત છે. આ મંદિરમાં હનુમાનજીની દક્ષિણામુખી વિશાળ મૂર્તિ છે. જે 6-7 ફૂટ નીચે છે. મૂર્તિનું માથું ઉત્તર અને પગ દક્ષિણ દિશામાં છે. તેને મોટા હનુમાનજી, કિલાના હનુમાનજી અને બાંઘવાળા હનુમાનજી કહેવામાં આવે છે. અહીં મંગળવાર અને શનિવારે શ્રદ્ધાળુઓની ભીડ રહે છે. મંદિરને વિશે માન્યતા એવી પણ છે કે અહીં હનુમાનજીના ડાબા પગની નીચે કામદા દેવી અને જમણા પગની નીચે અહિરાવણ દબાયેલું છે. ડાબા હાથ પર શ્રીરામ અને લક્ષ્મણ અને જમણા હાથમાં ગદા સુશોભિત છે. માન્યતા એવી પણ છે કે સૂતેલા હનુમાનજી ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી કરે છે.
આવું છે મંદિરનું પૌરાણિક મહત્વ
સૂતેલા હનુમાન મંદિરને વિશે માન્યતા છે કે આ મંદિર લગભગ 600-700 વર્ષ જૂનું છે. કહેવાય છે કે કન્નોજના એક રાજાને કોઈ સંતાન ન હતું. તેઓ સંતાન પ્રાપ્તિ માટે ગુરુના આશ્રમ ગયા અને ગુરુએ આદેશ કર્યો કે રાજન પોતાના રાજ્યમાં હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરાવે. તેનું સ્વરૂપ એવું હોય જે પાતાળમાં ભગવાન રામને છોડાવવા માટે ગયા હતા અને સાથે આ વિગ્રહ ક્યાંક અન્યથી નહીં વિંધ્ય પર્વતથી બનાવની લવાયો હતો. ત્યારે રાજા કન્નોજ વિંધ્યાચલ પર્વત તરફ પડ્યા અને આ પ્રતિમાના સ્વરૂપને નાવની મદદથી રાજ્યમાં લઈ આવ્યા, લાવતી સમયે રસ્તામાં પ્રયાગરાજ આવ્યું, રાજાએ અહીં નાવને કિનારા પર લગાવી અને રાતે વિશ્રામ કર્યો, રાતે અચાનક નાવ તૂટી અને હનુમાનજીનો વિગ્રહ જળમગ્ન થઈ ગયો.
આ દ્રશ્યને જોઈને રાજા દુઃખી થયા અને સકુશળ રાજ્ય પરત ફર્યા, અનેક વર્ષો બાદ ગંગાના જળસ્તરને ઘટાડ્યું ત્યારે એક રામ ભક્ત બાબા બાલગિરિજી મહારાજે સંગમ ભૂમિ પર પોતાનું ત્રિશુળ ખોપ્યું અને ધૂની જમાવવાનો પ્રયાસ કર્યો. આ ધૂનીને ખોદતી સમયે રેતીની નીચે કંઈ અથડાવવાનો અવાજ આવ્યો ત્યારે બાબા બાલગિરીજી મહારાજે તેને વિગ્રહને ખોદીને બહાર કાઢ્યો. આખા વિગ્રહને જોઈને બાબા પ્રસન્ન થયા અને મનમાં જ ભગવાન રામના પ્રતિ કૃતજ્ઞતા પ્રકટ કરવા લાગ્યા. તેઓએ હનુમાનજીની પૂજા શરૂ કરી. તે સમયે અનેક પ્રતિમાઓનું પ્રચલન પણ ન હતું. આ માટે અહીં હનુમાનજીના દર્શન માટે દૂર દૂરથી લોકો આવતા હતા.
Nowi gracze są witani znaczącym bonusem powitalnym, który najczęściej mieści szczodrobliwy nadprogram od czasu głównego… Read More
Szczegóły na temat wpłat i wypłat zamieściliśmy osobno w sekcjach znajdujących się poniżej. Wyłącznym niedoskonałością… Read More
Aktywując premia, pełnoprawni członkowie Slotica casino otrzymują 200% od czasu depozytu w wysokości 15€ lub… Read More
Xoilac TV is not merely appropriate for following live soccer action in HIGH-DEFINITION, but also… Read More
We consider that will great structures will be constantly anything which usually emerges out coming… Read More
To record misuse regarding a .US.COM website, you should make contact with the Anti-Abuse Group… Read More