વિશ્વનો એકમાત્ર એવો જીવ જે શ્વાસ લીધા વિના પણ જીવી શકે છે, જાણો આશ્વર્યજનક માહિતી

શ્વાસ લીધા વિના કોઈપણ જીવ જંતુ કે માનવ જીવિત રહી શકતા નથી. આ વાત સર્વસામાન્ય છે અને તેમાં બેમત નથી. આપણે માણસ પ્રજાતિ શ્વાસના માધ્યમથી ઓક્સિજન વાયુ લઈએ છીએ ઓક્સિજન વગર આપણું જીવન શક્ય નથી. પરંતુ તાજેતરમાં જ વૈજ્ઞાનિકોને એક એવું રહસ્યમયી જીવ જોવામાં આવ્યું છે જે શ્વાસ લીધા વિના પણ જીવિત છે. એટલું જ નહીં પણ આ વિશ્વનું પ્રથમ એવો જીવ છે જેનામાં આ પ્રકારની વિશેષતા છે.

image source

નોંધનીય છે કે જેલીફિશ જેવા દેખાતા આ બહુકોશિકીય પરજીવીમાં માઇટ્રોકોન્ડ્રિયલ જીનોમ નથી. કોઈ પણ જીવને શ્વાસ લેવા માટે માઇટ્રોકોન્ડ્રિયલ જીનોમ હોવું અતિ આવશ્યક છે. આ કારણથી જ આ પરજીવીને જીવિત રહેવા માટે ઓક્સિજન વાયુની જરૂરત નથી પડતી. ઇઝરાયલની તેલ અવિવ યુનિવર્સિટીના શોધકર્તાઓની એક ટીમે આ અદભુત અને રહસ્યમયી પરજીવીની શોધ કરી છે.

image source

શોધકર્તાઓના જણાવ્યા મુજબ આ પરજીવી માછલીમાંથી ઉર્જા મેળવે છે પરંતુ આ દરમિયાન તે માછલીને કોઈપણ પ્રકારનું નુકશાન નથી કરતું. ખાસ વાત તો એ છે કે માછલીઓ પણ આ પરજીવીને કોઈ નુકશાન નથી કરતી.

image source

વિશેષતઃ આ પરજીવી સાલ્મન પ્રજાતિની માછલીમાં જોવા મળે છે અને ત્યાં સુધી જીવિત રહે છે જ્યાં સુધી જે તે સાલ્મન માછલી જીવિત રહે.

image source

આ.પરજીવીનું વૈજ્ઞાનિક નામ હેન્નિગુયા સાલ્મીનિકોલા છે. આ શોધ ટીમના વડા ડયાના યાહલોમીએ જણાવ્યું હતું કે આ જીવ માણસો માટે કે અન્ય જીવો માટે બિલકુલ પણ જોખમકારક નથી. જો કે હજુ સુધી એ રહસ્ય જ બનેલુ છે જે આખરે ઓક્સિજન વિના જીવિત રહી શકતું આ જીવ પૃથ્વી પર વિકસિત કઈ રીતે થયું ?

image source

શોધ દરમિયાન વૈજ્ઞાનિકોએ આ પરજીવીને ફ્લોરેસેન્સ માઈક્રોસ્કોપ વડે જોયું જેમાં માઈટોકોન્ડ્રિયલ ડીએનએ ન દેખાયો. ત્યાર બાદ એ સ્પષ્ટ થઈ ગયું કે તે વિશ્વનું પ્રથમ એવો જીવ છે જેને જીવિત રહેવા માટે શ્વાસ લેવાની જરૂર નથી.

જો કે વર્ષ 2010 માં ઇટાલીના સંશોધનકારોએ આ પ્રકારના જ એક જીવની શોધ કરી હતી જેમાં પણ સ્પષ્ટ રીતે માઈટોકોન્ડ્રિયલ ડીએનએ નહોતા દેખાયા. તેની ઉર્જાનો સ્ત્રોત હાઇડ્રોજન સલ્ફાઇડ હતો પરંતુ હાલ નવા મળેલા જીવને તો હાઇડ્રોજન સલ્ફાઇડની પણ જરૂર નથી.

Recent Posts

આજ કા રાશિફળ 31 જુલાઈ: મહિનાનો આખરી દિવસ આ રાશિફળને સારો લાભ મળે છે, વાંચો દૈનિક રાશિફલ

મેષ (મેષ) સ્વભાવ: ઉત્સાહી રાશિ ભગવાન: મંગળ શુભ રંગ: લાલ આજે તમારા માટે આલસ્ય તેગકર… Read More

4 weeks ago

આજનું રાશિફળ ૧૯ જુલાઈ: આ ચાર રાશિના જાતકોના સુખ-સુવિધાઓમાં વધારો થશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિ સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે સુખ-સુવિધાઓમાં વધારો… Read More

1 month ago

રાશિફળ ૧૧ જુલાઈ: વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોને કારકિર્દી અને વ્યવસાયમાં સફળતાની પ્રબળ શક્યતાઓ છે,

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More

2 months ago

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી: એકતા કપૂર 25 વર્ષ પછી શો પાછો લાવવા માંગતી ન હતી, તેણે પોતે જ કહ્યું કારણ

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More

2 months ago

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

3 months ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

3 months ago