ગાયિકા, ગીતકાર, ઉદ્યોગસાહસિક અને માનસિક સ્વાસ્થ્યના હિમાયતી અનન્યા બિરલા આ તમામ વિશેષતાઓને સારી રીતે ભજવે છે. જોકે અનન્યા બિરલાને કોઇ ઓળખની જરૂર નથી, પરંતુ જો તમને ખબર ન હોય તો જણાવી દઇએ કે તે અબજોપતિ ઉદ્યોગપતિ કુમાર મંગલ બિરલાની પુત્રી છે. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની 28 વર્ષીય પુત્રી હવે સંગીતની દુનિયામાં એક જાણીતું નામ બની ગયું છે. સંગીત ઉપરાંત તે પોતાને અને પોતાના પરિવારને અન્ય ક્ષેત્રોમાં પણ ગૌરવ અપાવી રહી છે.

17 જુલાઈ, 1994ના રોજ જન્મેલી અનન્યા બિરલા ભારતીય ગાયિકા, ગીતકાર અને ઉદ્યોગસાહસિક છે. 2016માં સંગીતની દુનિયામાં પગ મૂક્યા બાદ અનન્યાએ ઘણી દિગ્ગજ હસ્તીઓ સાથે કામ કર્યું છે. તેની ફેન ફોલોઇંગ વધી રહી છે.

અનન્યા ભારતની એકમાત્ર એવી કલાકાર છે જેના અંગ્રેજી સિંગલને પ્લેટિનમ સર્ટિફિકેટ મળ્યું છે. તમને પ્લેટિનમ સર્ટિફિકેટ વિશે જણાવી દઈએ કે તે આલ્બમની 10 લાખ કોપી અથવા સિંગલની 20 લાખ કોપી વેચવા પર ઉપલબ્ધ છે. અનન્યાની પાંચ સિંગલ્સને પ્લેટિનમ અને ડબલ પ્લેટિનમનો દરજ્જો મળ્યો છે.

2020 માં, બિરલા લોસ એન્જલસમાં મેવરિક મેનેજમેન્ટ સાથે કરાર કરનાર પ્રથમ ભારતીય કલાકાર બન્યા હતા. જે બાદ તેણે “લેટ ધેર બી લવ” અને “એવરીબડીઝ લોસ્ટ” રિલીઝ કરી હતી.
અનન્યા સ્વતંત્ર માઇક્રોફિનની સ્થાપક છે, જે ગ્રામીણ ભારતની મહિલાઓને માઇક્રોફાઇનાન્સ પ્રદાન કરે છે. તેઓ યુનિટ અસાઇના સ્થાપક અને એમપાવરના સહ-સ્થાપક પણ છે.

બિરલાને તેમના કાર્ય અને ઉદ્યોગસાહસિકતા માટે પુરસ્કારો મળ્યા છે, જેમાં યંગ બિઝનેસ પર્સન માટે 2016 ઇટી પનાચે ટ્રેન્ડસેટર્સ એવોર્ડનો સમાવેશ થાય છે અને તેમને 2018 ના જીક્યુના સૌથી પ્રભાવશાળી ભારતીયોમાંના એક તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા.

2020 માં, તેમણે અનન્યા બિરલા ફાઉન્ડેશનની શરૂઆત માનસિક સ્વાસ્થ્ય, સમાનતા, શિક્ષણ, નાણાકીય સમાવેશ, આબોહવા પરિવર્તન અને માનવતાવાદી રાહત પ્રયત્નોને ટેકો આપવા માટે કરી હતી.

તેઓ ભારતીય ઉદ્યોગપતિ અને આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાના પુત્રી અને ભારતીય ક્રિકેટર આર્યમાન બિરલાની બહેન છે.

અનન્યાશ્રી બિરલાએ નાની ઉંમરે જ સંગીતમાં રસ કેળવ્યો, 11 વર્ષની ઉંમરે સંતુર વગાડવાનું શીખી લીધું.

તેમણે ગ્રેજ્યુએશનની ડિગ્રી માટે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સ અને મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો, પરંતુ ડિગ્રી પૂર્ણ કર્યા વિના જ છોડી દીધું હતું.

અનન્યા દેશના અબજોપતિ ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા (આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન) અને નીરજા બિરલા અને બિરલા પરિવારની છઠ્ઠી પેઢીની સંતાન છે. બિરલા પરિવાર મૂળ રાજસ્થાનના પિલાનીનો છે.

