આજે શુક્રવાર છે, હિંદુ ધર્મમાં શુક્રવારના દિવસને માતા લક્ષ્મીના દિવસ તરીકે જોવામાં આવે છે. આ દિવસને વૈભવ અને વિલાસનો દિવસ પણ માનવામાં આવે છે. શુક્રવારના દિવસે જે ભક્તો માતા લક્ષ્મીની સાચા મનથી પૂજા કરે છે એમની બધા જ પ્રકારના સંસારિક સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી માનવામાં આવ્યા છે.
માન્યતા છે કે શુક્રવારના દિવસે લક્ષ્મી માતાની મનથી પૂજા અને અર્ચના કરવાથી એમના આશીર્વાદ પ્રાપ્ત થઇ શકે છે. કારણ કે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજાનું ખાસ મહત્વ હોય છે. કહેવાય છે કે જે પણ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે એ ઘરમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી. એવું પણ માનવામાં આવે છે કે એના પર માતા પ્રશન્ન થઇ જાય છે, એમના બધા જ કષ્ટનો નાશ થઇ જાય છે. જો કે જેમનાથી રિસાઈ જાય છે એમના જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવે છે.
ભવિષ્ય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ધનની દેવી મા લક્ષ્મીની કૃપા ઈચ્છતા હોવ તો શુક્રવારના દિવસે ભૂલીને પણ આ કામ ન કરવું જોઈએ. ભવિષ્ય પુરાણ અનુસાર જે ઘરમાં ગૃહલક્ષ્મીનું અપમાન થાય છે, ત્યાંથી માતા લક્ષ્મી રિસાઈને હમેશા માટે જતા રહે છે. કારણ કે માતા લક્ષ્મી સ્ત્રીના અપમાનને જોઈ શકતા નથી.
એવું પણ માનવામાં આવે છે કે શુક્રવારના દિવસે સાચા મનથી એમની પૂજા અને ધ્યાન ધરવામાં આવે તો ઈચ્છાઓ તરત જ પૂરી થઈ શકે છે. જો કે આ દરમિયાન કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. અને ભૂલથી પણ આ કામ કરવા ન જોઈએ, જેનાથી તમને ભવિષ્યમાં આર્થિક નુકશાનનો સામનો કરવો પડે. તો ચાલો આજે જાણીએ કે કયા કામો કરવાથી તમને ધનની હાની થઇ શકે છે.
શુક્રવારના દિવસે ભૂલીને પણ આ કામો કરવા જોઈએ નહિ
શુક્રવારના દિવસે ભૂલથી પણ પૈસા ઉધાર આપવા અથવા લેવા જોઈએ નહિ. એવું કહેવાય છે કે શુક્રવારના દિવસે આપેલ ધન ક્યારેય પાછું નથી આવતું. એટલા માટે કોઈને ઉધાર આપવાથી લક્ષ્મી માતા રિસાઈ જાય છે અને સબંધો પણ બગડે છે.