Svg%3E

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૧ માં જાહેરાત કરી હતી કે દર વર્ષે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ આજે આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં તેમને સમર્પિત એક સ્મારક મોડલનું ઉદઘાટન કર્યું હતું. આ ટાપુઓનું નામ પરમવીર ચક્ર વિજેતાઓના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ અવસર પર તમામ બોલિવૂડ સેલેબ્સે પીએમ મોદીનો આભાર માન્યો છે.

પરાક્રમ દિવસના અવસર પર પીએમ મોદીએ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહના 21 સૌથી મોટા અનનામ દ્વીપોને નામ આપ્યું. આ ટાપુઓનું નામ પરમવીર ચક્ર વિજેતાઓના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ અવસર પર તમામ બોલિવૂડ સેલેબ્સે પીએમ મોદીનો આભાર માન્યો છે. જેમાં પડદા પર પરમવીર ચક્ર વિજેતાની ભૂમિકા ભજવનારા સ્ટાર્સનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે પીએમ મોદીના આ નિર્ણય બાદ બોલીવુડમાં ખુશીની લહેર છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૧ માં જાહેરાત કરી હતી કે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ દર વર્ષે પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ આજે આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં તેમને સમર્પિત એક સ્મારક મોડલનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આંદામાન અને નિકોબારના 21 ટાપુઓના નામ આપ્યા હતા અને 21 પરમવીર ચક્ર વિજેતાઓના નામ પરથી તેનું નામકરણ કર્યું હતું.

The decision to name an island after Capt. Manoj Kumar Pandey (Param Vir Chakra) is assuring that the example of supreme sacrifice for the motherland he left us with will continue to inspire generations to come. Thank you PM @narendramodi Ji. #IndiaHonoursParamveers

— Ajay Devgn (@ajaydevgn) January 23, 2023

પીએમના આ નિર્ણયને બોલિવૂડ સેલેબ્સે આવકાર્યો છે. અજય દેવગણે ટ્વિટ કરીને લખ્યું, “આ ટાપુનું નામ કેપ્ટન મનોજ કુમાર પાંડે (પરમવીર ચક્ર)ના નામ પર રાખવાનો આ નિર્ણય એક આશ્વાસન છે કે આ મહાન લોકોએ આપણા દેશ માટે જે બલિદાન આપ્યું છે, તે આપણી ભાવિ પેઢીને આગળ વધવા માટે પ્રેરિત કરશે.” પીએમ મોદીનો આભાર.”

The very news that an island in Andaman & Nicobar is named after our hero Capt. Vikram Batra leaves me with goosebumps!

My heart swells with pride that I was fortunate to live his role on screen. This step taken by PM @narendramodi ensures that Shershaah lives on forever.

— Sidharth Malhotra (@SidMalhotra) January 23, 2023

ફિલ્મ શહશાહમાં કેપ્ટન બત્રાની ભૂમિકા ભજવનાર સિદ્ધાર્થ મલ્હોત્રા પણ આ સમાચારથી ખુશ અને રોમાંચિત છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “આંદામાન અને નિકોબારના એક ટાપુનું નામ અમારા હીરો કેપ્ટન વિક્રમ બત્રાના નામ પર રાખવામાં આવ્યું છે અને આ અદ્ભુત સમાચારે મને ગૂઝબમ્પ્સ આપ્યા છે.”

Like

Like this:

Like Loading...
Svg%3E

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *