વૈશ્વિક સ્તરે વધી રહેલા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. શનિવારે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, ચીન, જાપાન, હોંગકોંગ, બેંગકોક અને દક્ષિણ કોરિયાથી ભારત આવતા લોકો માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત રહેશે. તેમણે જણાવ્યું હતું કે, “આ સંદર્ભમાં ટૂંક સમયમાં વિસ્તૃત આદેશ જારી કરવામાં આવશે.”
“અમે આ મુદ્દે ઉડ્ડયન મંત્રાલય સાથે વાત કરી રહ્યા છીએ. જે મુસાફરોનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવશે અથવા જેમને તાવ જેવા લક્ષણો હશે તેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.
પાંચ દેશોમાંથી આવતા મુસાફરોએ હવાઈ સુવિધાનું ફોર્મ ભરવું ફરજિયાત છે.
#WATCH | Air Suvidha portal to be implemented for passengers arriving from China, Japan, South Korea, Hong Kong & Thailand, RT-PCR to be made mandatory for them. After arriving in India, if they test positive, they’ll be quarantined: Union Health Min Dr Mandaviya pic.twitter.com/ST7ypqmy1V
— ANI (@ANI) December 24, 2022