આ દિવસે શ્રીકૃષ્ણએ અર્જુનને ધર્મ અને કર્મનો ઉપદેશ આપ્યો હતો

હિંદુ ધર્મ માટે સૌથી પવિત્ર દિવસ ગીતા જયંતી છે. માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીએ જ શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. એટલે આ પર્વ 14 ડિસેમ્બરના રોજ ઊજવવામાં આવશે. મહાભારત યુદ્ધ સમયે અર્જુનની સામે તેના પરિવારના લોકો હતાં. એટલે તેમના વિરૂદ્ધ અર્જુન શસ્ત્ર ઉઠાવવા માટે તૈયાર હતા નહીં. જેથી શ્રીકૃષ્ણએ અર્જુનને ધર્મ અને કર્મને સમજાવતા ઉપદેશ આપ્યો હતો. તે જ્ઞાનને જ ગીતા કહેવામાં આવે છે.

ગીતાનું બીજું નામ ગીતોપનિષદ

IMAGE SOUCRE

ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક છે. ગીતાનું બીજું નામ ગીતોપનિષદ છે. ગીતા જંયતીના દિવસે ગીતાને વાંચવી કે સાંભળવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગીતાના ઉપદેશોને આત્મસાત કરવાથી જીવનમાં સફળતાનો માર્ગ મળે છે અને બધી શંકાઓનો નાશ થાય છે. શ્રીમદભાગવત ગીતામાં બધી પરેશાનીઓનો ઉકેલ જણાવવામાં આવે છે. માત્ર અર્જુને જ નહીં, બર્બરીક, હનુમાનજી અને સંજયે પણ ભગવાન શ્રીકૃષ્ણ પાસથી ગીતાનો ઉપદેશ સાંભળ્યો હતો.

ગીતા કેમ જરૂરી છે

IMAGE SOUCRE

શ્રીમદભાગવત ગીતાનો પાઠ કરવાથી યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વિકસિત થાય છે.

કોઈપણ વ્યક્તિ પાસે જો આ પવિત્ર ગ્રંથ ન હોય તો ગીતા જયંતીના દિવસે શ્રીમદભાગવત ગીતાને ઘરે લાવવું શુભ મનાય છે.

આ દિવસથી ગીતાપાઠનું અનુષ્ઠાન પણ શરૂ કરવામાં આવે છે અને નિયમિત થોડા શ્લોક અર્થ સહિત વાંચવાનો નિયમ બનાવવામાં આવે છે.

ગીતા જયંતીની પૂજા વિધિ

IMAGE SOUCRE

સ્નાન કરીને પૂજાઘરને સાફ કરો. ભગવાન કૃષ્ણનું ચિત્ર બાજોટ ઉપર સ્થાપિત કરીને તેમના ચરણોમાં ભાગવત ગીતા રાખો.
સાફ વસ્ત્ર ધારણ કરીને ભગવાન શ્રીહરિની પૂજા, પીળા ફળ, ફૂલ, ધૂપ-દીપ, દૂર્વા વગેરે વસ્તુઓ અર્પણ કરો. ૐ ગગે મંત્રનો ઉચ્ચારણ કરી આચમન કરો.

છેલ્લે પૂજા પૂર્ણ કરવા માટે આરતી કરો.

IMAGE SOUCRE

આ દિવસે શું કરવું

  • ગીતા જયંતીના દિવસે શંખનું પૂજન કરવું જોઈએ. માન્યતા છે કે આ દિવસે ખાસ કરીને શંખ વગાડવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.
  • ગીતા જયંતીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે.
  • આ દિવસે શ્રીમદભાગવત ગીતાના દર્શન કરવા માત્રથી સમસ્યાઓ અને નકારાત્મકતા દૂર થવાની માન્યતા છે.

Recent Posts

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

7 days ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

7 days ago

રાશિફળ ૧૨ જૂન: વૃશ્ચિક, ધનુ અને મકર રાશિ માટે આવકના નવા રસ્તા ખુલશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More

1 week ago

WTC ફાઇનલ પ્રાઇઝ મની: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વિજેતા પર પૈસાનો વરસાદ થશે, તેને IPL વિજેતા કરતા વધુ રકમ મળશે

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More

1 week ago

અમિતાભ બચ્ચન: યુઝરે કહ્યું- ‘સૂઈ જાઓ, તમે વૃદ્ધ થઈ છો’, બિગ બીએ આપ્યો યોગ્ય જવાબ !!

બિગ બી પોતાના ટ્વીટને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. હવે એક ટ્રોલરને આપેલો તેમનો જવાબ… Read More

1 week ago

WTC ફાઇનલ: જો ફાઇનલ ડ્રો થાય તો કોણ વિજેતા બનશે? જાણો ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં કયા બોલનો ઉપયોગ થશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ​​ની ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમો લંડનના… Read More

1 week ago