પિત્તળના સિંહની મૂર્તિ.
કેટલીક વ્યક્તિઓ પોતાના ઘરને સજાવવા માટે ખુબ જ સમજી વિચારીને એક એક વસ્તુઓને પસંદ કરે છે અને ખુબ જ પ્રેમથી સજાવે છે. પણ આપને ખબર છે કે, આપે ઘરને સજાવતા સમયે વાસ્તુ શાસ્ત્રના કેટલાક નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ સજાવવામાં આવેલ ઘરમાં કેટલીક ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ.
ઘરમાં કરવામાં આવેલ સજાવટ આપની પર અને આપના પરિવારના સભ્યો પર ખુબ જ ઊંડી અસર પાડે છે. જેના લીધે આપે ઘર સજાવતા સમયે એવી કોઈ વસ્તુને પસંદ કરવી જોઈએ નહી જેના લીધે આપના પર અને આપના પરિવારના સભ્યો પર નકારાત્મક અસર પાડે અને તેઓનો આત્મવિશ્વાસ વધવાને બદલે ઘટતો જાય છે. કોઈ વ્યક્તિના વ્યક્તિત્વ પર તેના આત્મવિશ્વાસની ખુબ જ ઊંડી અસર પાડે છે અને તેનાથી તે વ્યક્તિની આખી જિંદગી પણ પ્રભાવિત થઈ શકે છે.
આપણા ઘરમાં સજાવટ માટે ઉપયોગમાં લેવામાં આવતો સામાન આપના જીવન, ધન- સંપત્તિ અને ખુશહાલીની સાથે સાથે આપના વ્યક્તિત્વ પર પણ ઊંડો પ્રભાવ પાડે છે. વાસ્તુ શાસ્ત્રના કેટલાક મૌલિક સિધ્ધાંતને તો આપણે બધા જાણીએ જ છીએ, એટલે કે, દક્ષિણ દિશામાં ઘરનો મુખ્ય દ્વાર બનાવવો જોઈએ નહી, ઉત્તર દિશામાં તિજોરી રાખવી અને ઘરમાં ગંદકી એકઠી થવા દેવી જોઈએ નહી વગેરે વગેરે. ….
તેમ છતાં કેટલીક વાસ્તુ ટીપ્સ એવી હોય છે જે આપના વ્યક્તિત્વ પર પણ ખુબ જ ઊંડી અસર કરે છે. જો આપ ઉદાસ રહો છો કે પછી આપને એવું લાગ્યા કરે છે કે, આપનામાં આત્મવિશ્વાસની કમીના કારણે આપ પોતાના ઉદ્દેશને પ્રાપ્ત નથી કરી શકતા કે પછી આપને અન્ય વ્યક્તિઓની સમક્ષ પોતાની વાત રાખવામાં અચકાઈ જાવ છો તો આજે અમે આપને એક એવા વાસ્તુ શાસ્ત્રના ઉપાય વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે આપના માટે ખુબ જ કારગત સિદ્ધ થઈ શકે છે.
પિત્તળની ધાતુ માંથી બનાવવામાં આવેલ સિંહ, પિત્તળના ધાતુ માંથી બનાવવામાં આવેલ સિંહ ના ફક્ત આપના ઘરની શોભા વધારે છે ઉપરાંત આપની અંદર છુપાયેલ હીન ભાવના કે પછી આત્મ વિશ્વાસની કમી પણ ખતમ કરી દે છે. વાસ્તુ શાસ્ત્રના જાણકારોના જણાવ્યા મુજબ જો આપના ઘરમાં પિત્તળની ધાતુ માંથી બનાવવામાં આવેલ સિંહની મૂર્તિને ઘરની પૂર્વ દિશામાં સ્થાપિત કરવામાં આવે છે તો આ પિત્તળના સિંહની મૂર્તિ આપનામાં સેલ્ફ કોન્ફિડન્સમાં પણ એકાએક વધારો થતો જોવા મળે છે પરંતુ આપે ફક્ત એક વાતનું ધ્યાન રાખવું જોઈશે કે, જયારે આપ પિત્તળના સિંહની મૂર્તિને પોતાના ઘરમાં સ્થાપિત કરો છો ત્યારે આ પિત્તળના સિંહનું મુખ ઘરના કેન્દ્રમાં હોવું જોઈએ.
બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More
મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More
મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More
બિગ બી પોતાના ટ્વીટને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. હવે એક ટ્રોલરને આપેલો તેમનો જવાબ… Read More
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ની ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમો લંડનના… Read More