નાણાકીય વર્ષ 2022-23નો છેલ્લો મહિનો એટલે કે માર્ચ શરૂ થઇ ચૂક્યો છે. આ મહિનામાં તમારે ઘણાં મહત્ત્વપૂર્ણ કાર્યો પૂરાં કરવાનાં છે. જે પૈકી એક કામ PANને આધાર સાથે લિંક કરવાનું છે. જો તમે 31 માર્ચ, 2023 સુધી આ નહીં કરો તો તમારું PAN નિષ્ક્રિય થઈ જશે. તમે 31 માર્ચ, 2023 સુધી 1000 રૂપિયાની લેટ ફી સાથે PAN ને આધાર સાથે લિંક કરી શકો છો.

ટેક્સ સેવિંગ્સ ઇન્વેસ્ટમેન્ટ

2 Wise Investment Options for Tax Saving - RMoney
image soucre

જો તમે હજુ સુધી નાણાકીય વર્ષ 2022-23 માટે ટેક્સ રોકાણ કર્યું નથી, તો જલદી કરો.તમે PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, 5 વર્ષની FD અને ELSS વગેરેમાં રોકાણ કરીને કલમ 80C કરમુક્તિ મેળવી શકો છો. આ માટે તમારે આ સ્કીમમાં 31 માર્ચ સુધી રોકાણ કરવાનું રહેશે.

આધાર-પાન લિંક

Aadhaar Pan Link: પાન-આધાર લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, બેદરકારી રાખશો તો રદ થઈ જશે તમારું PAN Card
image soucre

જો તમે હજુ સુધી તમારા PAN ને આધાર સાથે લિંક કરાવ્યું નથી, તો તેને જલદીથી પૂર્ણ કરો. જો તમે 31 માર્ચ, 2023 સુધી આ નહીં કરો તો તમારું PAN નિષ્ક્રિય થઈ જશે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) 30 જૂન, 2022 થી PAN ને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની લેટ ફી વસૂલ કરી રહ્યું છે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની અમૃત કળશ સ્કીમમાં રોકાણ

State Bank Of India Change Their Working Hour Also Limited Some Other Work In Bank | SBI New Rule:SBIમાં કોઇ કામ હોય તો જાણી લો બેંન્કનો નવો સમય, કોવિડના કારણે ટાઇમિંગમાં થયો
image socure

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની નવી ફિક્સ ડિપોઝિટ સ્કીમ અમૃત કળશ આ મહિને સમાપ્ત થવા જઈ રહી છે. આ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને 7.6% અને અન્યને 7.1% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. વ્યક્તિએ આ ફિક્સ ડિપોઝિટ સ્કીમમાં 400 દિવસ માટે રોકાણ કરવું પડશે.

પીએમ વય વંદના યોજનામાં રોકાણ

પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY)થી ઘડપણમાં મળશે સહારો, જાણો તેની ખાસ વાતો - GSTV
image soucre

જો કોઈ વરિષ્ઠ નાગરિક પીએમ વય વંદના યોજનામાં રોકાણ કરવા માગે છે, તો તેઓ 31 માર્ચ, 2023 સુધી જ કરી શકશે. સરકારે આ યોજનાને આગળ વધારવા માટે કોઈ નોટિફિકેશન બહાર પાડ્યું નથી. આ સ્થિતિમાં તમે માર્ચ સુધી જ તેમાં રોકાણ કરી શકો છો. તે 60 વર્ષ અને તેથી વધુ વયના નાગરિકો માટે પેન્શન યોજના છે.

મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન

Mutual Fundના રોકાણકારો માટે અગત્યના સમાચાર, હવે રોકાણના નાણાં મેળવવા ઇંતેજાર કરવો પડશે નહિ , જાણો SEBI એ નિયમમાં શું કર્યો ફેરફાર | TV9 Gujarati
image socure

જો તમે હજુ સુધી મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરી નથી, તો આ કામ શક્ય તેટલું જલદી કરો. તમામ ફંડ હાઉસે આ માટે 31 માર્ચની સમયમર્યાદા નક્કી કરી છે. જો તમે આવું ન કરો તો તમારું મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે.

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *