હિંદૂ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. દરેક પરીવારમાં મહિલાઓ સવારના સમયે સ્નાન કરી સૌથી પહેલા તુલસીની પૂજા કરે છે. આ ઉપરાંત લોકો તુલસીની માળા પણ ધારણ કરતાં હોય છે. આ માળાને સામાન્ય બોલચાલની ભાષામાં કંઠી પણ કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણના ભક્ત હોય તેઓ ખાસ આ કંઠી ધારણ કરતાં હોય છે.
તુલસીની માળા ધારણ કરનાર વ્યક્તિનું મન અને આત્મા પવિત્ર રહે છે તેવી પણ માન્યતા છે. એમ પણ કહેવાય છે કે તેમાં ઔષધિય ગુણ હોય છે તેનો લાભ પણ માનવ શરીરને મળતો રહે છે. તુલસીની માળા પહેરવાથી રોગમાંથી મુક્તિ પણ મળે છે. તુલસીની માળાનો ઉપયોગ મંત્રજાપ માટે પણ કરવામાં આવે છે. પરંતુ તુલસીની માળા ધારણ કરો તે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ તો તેનાથી મળતાં લાભ બમણાં થઈ જાય છે.
તુલસીની કંઠી પહેરવાથી થતાં લાભ
- – તુલસીની કંઠી ધારણ કરવાથી બુધ અને ગુરુ ગ્રહ બળવાન થાય છે.
- – તુલસીની માળા પહેરવાથી તમામ પ્રકારના સુખ મળે છે અને ખરાબ નજર પણ લાગતી નથી.
- – તુલસીની માળા એકવાર ઉતારો તો પછી તેને શુદ્ધ કરી ધૂપ આપી અને પછી જ ધારણ કરવી.
- – તુલસીની માળા પહેરો ત્યારે મંદિરમાં જઈ ભગવાનની પૂજા અચૂક કરવી.
- – કંઠી પહેરતાં લોકોએ લસણ, ડુંગળી જેવી તામસી ખાદ્ય સામગ્રી ન ખાવી જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.