નવા વર્ષને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. નવા વર્ષને ખુશ અને સારું બનાવવા માટે લોકો પોતપોતાની રીતે અનેક પ્રયાસો કરે છે. આ નાના-નાના ઉપાયો લોકોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.વાસ્તુશાસ્ત્રમાં નવા વર્ષની શરૂઆત સારી રીતે કરવાની ઘણી રીતો પણ કહેવામાં આવી છે. જો તમે પણ તમારા નવા વર્ષની શરૂઆત ભવ્ય રીતે કરવા માંગો છો, તો તમે વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા આ ઉપાયો અપનાવી શકો છો.
વાસ્તુશાસ્ત્રમાં પર્સને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુ અનુસાર કેટલીક વસ્તુઓ ભૂલથી પણ પર્સમાં ન રાખવી જોઈએ. આ વસ્તુઓ ખૂબ જ ખરાબ અસર આપે છે અને ગરીબ બનવાની શક્યતા વધી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે, પર્સમાં ક્યારેય પણ એવી વસ્તુઓ ન રાખો કે જેનાથી તમારા પર નકારાત્મક અસર પડી શકે. જો તમારા પર્સમાં આવી વસ્તુઓ છે, તો નવું વર્ષ શરૂ થાય તે પહેલાં, તમારું પર્સ તપાસો અને આવી વસ્તુઓ કાઢી નાખો.
નવા વર્ષની શરૂઆત પહેલા તમારા પર્સમાંથી આ વસ્તુ કાઢી લો
પર્સમાં ક્યારેય પણ મૃત લોકો કે પૂર્વજોની તસવીરો ન રાખવી જોઈએ. વાસ્તુ અનુસાર તે નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. પૂર્વજોનું ચિત્ર હંમેશા ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગાવવું જોઈએ. આ સિવાય પર્સમાં ભગવાનની તસવીર ન રાખવી જોઈએ. કારણ કે આપણે પેન્ટમાં પર્સ રાખીએ છીએ, જે શુભ નથી.
વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં ધારદાર અથવા ધાતુની બનેલી કોઈપણ વસ્તુ રાખવી દોષ માનવામાં આવે છે. એટલા માટે પર્સમાં પિન, ચાકુ અને ચાવી જેવી વસ્તુઓ ન રાખવી જોઈએ, આ કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે અને ગરીબી આવવા લાગે છે. જો તમારા પર્સમાં આ બધી વસ્તુઓ છે, તો નવા વર્ષની શરૂઆત પહેલા આ બધી વસ્તુઓ કાઢી નાખો.
– પૈસા કે રૂપિયાને મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે પૈસા તમારા પર્સ અથવા વોલેટમાં ક્યારેય ફોલ્ડ કે ઉંધા રાખવા જોઈએ નહીં. આ રીતે પૈસા રાખવાથી માતા લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે. એટલા માટે હંમેશા તમારા પર્સમાં નોટોને યોગ્ય રીતે રાખો.