માતાનો મઢ ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું પ્રસિદ્ધ દેવી સ્થાન છે. કચ્છના મોટા શહેર ભૂજથી આ મંદીર 80 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં બિરાજમાન મા આશાપુરા કંઈ કેટલાકે કુળોના કુળદેવી છે. આશાપુરા માતા કચ્છ તેમજ જામનગરમાં રહેતા જાડેજા કુળના કુળદેવી પણ છે. આ ઉપરાંત નવાનગર, રાજકોટ, મોરબી, ગોંડલ અને બારીયાના રજવાડા પણ તેમને પોતાના કુળદેવી માને છે.
આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે કચ્છ અને સિંધી ભાષામાં ભારે સામ્યતા છે. તો આ સિંધ સમુદાયના ખીચડા કુળના લોકો પણ આશાપુરા માતાને પોતાના કુળદેવી તરીકે પુજે છે. કચ્છ ઉપરાંત પણ આશાપુરા માતાના મંદીર ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે. જેમાં અમરેલી જિલ્લાના ગાધકડા ગામમાં પણ તેમનું મંદીર આવેલું છે અને રાજસ્થાનમાં પણ તેમનું મંદીર આવેલું છે આ ઉપરાંત લાખો કચ્છીઓ જ્યાં જઈને વસેલા છે તેવા મુંબઈમાં પણ આશાપુરા માતાનું મંદીર આવેલું છે તો વળી પુણે અને બેંગલુરુમાં પણ આશાપુરા માતાના મંદીર આવેલા છે.
અહીં દર વર્ષે આસો નવરાત્રીમાં લાખો શ્રદ્ધઆળુઓ દર્શનાર્થે આવે છે અને પોતાની ઇચ્છાપુર્તિ કરે છે.
દર આસો નવરાત્રીમાં અહીં મેળો ભરાય છે. લાખો માઈ ભક્તો પગપાળા ચાલીને માતાજીના દર્શન કરવા આવે છે. મુંબઈમાં વસતા કચ્છી માઈભક્તો પણ આ દરમિયાન અચૂક માતાજીના દર્શનનો લાભ લે છે. આ નવ દીવસ દરમિયાન ભક્તો માટે દરેક રસ્તે સેવાભાવી કેમ્પ લગાવવામાં આવે છે. અને ભક્તોના ખાવાપિવા તેમજ રાતવાસા અને નાહવા વિગેરે માટે વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. નવરાત્રી દરમિયાન લાખો ભક્તો આવતા હોવાથી અહીં મંદીરથી લઈને છેક ગામના છેડા સુધી લાઈનો લાગેલી રહે છે. અહીં આંઠમના દિવસે ભવ્ય યજ્ઞ કરવામા આવે છે. વર્ષો પહેલાં આ યજ્ઞ કચ્છના રાજા દ્વારા કરવામાં આવતો હતો પણ હવે તેમના વંશજો તેમાં ભાગ લે છે.
આ સ્થાનક અંગે કંઈ કેટલીએ દંતકથાઓ જોડાયેલી છે.
એક વાયકા પ્રમામે કચ્છની ધરતી પર દોઢ હજાર વર્ષો પૂર્વે આશાપુરા માતા પ્રગટ્યા હતા. મંદીર પાસેથી મળેલી માહિતી પ્રમાણે અને સદીઓ પહેલાં દેવચંદ નામનો મારવાડી વેપારી જે ધર્મે જૈન હતો તે કચ્છ આવેલો હતો. વેપાર અર્થે તે કચ્છના ખૂણે ખૂણે જઈ આવ્યો હતો અને ફરતો ફરતો તે આજે જ્યાં ભવ્ય આશાપુરા માતાનું મંદીર છે ત્યાં પહોંચ્યો.